બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:16 PM, 15 July 2026
સુપ્રીમ કોર્ટે પંચાયત તેમજ બીજી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બે બાળકોના નિયમને ચાલુ રાખવાની માન્યતા પર સખત સવાલ ઉઠાવ્યા છે. જેમાં કોર્ટે કહ્યું કે વસ્તી વૃદ્ધિને રોકવા માટે બનાવવામાં આવેલી આ નીતિ હવે ભારતમાં ઘટતા પ્રજનન દરને જોતાં પોતાનો હેતુ પૂરો કરી ચૂકી છે.
ADVERTISEMENT
ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને ન્યાયાધીશ આલોક અરાધેની બેન્ચે મહારાષ્ટ્રના એક સરપંચને ત્રીજા બાળકને કારણે ગેરલાયક ઠેરવવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ વાત કહી છે. જેમાં બેન્ચે કહ્યું કે તેઓ રાજ્યોના કાયદામાં આવા નિયમોને જાળવી રાખવા પાછળના તર્કની વિગતવાર તપાસ કરવા તૈયાર છે. આ મામલે સીનીયર વકીલ રુક્મિણી બોબડેને એમિકસ ક્યુરી તરીકે મદદ માટે અપીલ કરી છે.
ન્યાયાધીશ નરસિંહાએ 2003ના સુપ્રીમ કોર્ટના જાવેદ vs હરિયાણા રાજ્યના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું, આ કેવી નકામી નીતિ છે? આ કેસમાં પુનર્વિચાર કરવાની જરૂર છે. દેશ બદલાઈ ગયો છે.”કોર્ટે નોંધ્યું કે છેલ્લા બે દાયકામાં ભારતની વસ્તી વિષયક પરિસ્થિતિમાં ભારે ફેરફાર આવ્યો છે. હાલમાં દેશનો કુલ પ્રજનન દર 1.7ની આસપાસ છે, જ્યારે કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ દર વિશ્વના અનેક વિકસિત દેશો કરતાં પણ ઓછો છે. બેન્ચે વધુમાં કહ્યું, “વર્તમાન સંજોગોમાં વસ્તી ઘટાડવા માટે આ નીતિ ચાલુ રાખવી સંપૂર્ણ અયોગ્ય અને ગેરકાયદેસર હોઈ શકે છે.”
ADVERTISEMENT
ન્યાયાધીશ નરસિંહાએ કહ્યું કે આજકાલ ત્રણ બાળકો હોવા એક સામાન્ય વાત બની ગઈ છે. તેમને ભારપૂર્વક જણાવ્યું, “અમારી પેઢીમાં ત્રણ બાળકો હોવા દુર્લભ હતું, પરંતુ હવે તે સામાન્ય છે. આ નીતિએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. તેને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. વિરોધી ઉમેદવારો તેનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. અમે આ નીતિ અંગે ચિંતિત છીએ.”
ADVERTISEMENT
કેસનું બેકગ્રાઉન્ડ
ADVERTISEMENT
આ સુનાવણી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સરપંચ મંગલા ભીમરાવ ઇંગલેની અરજી પર થઈ રહી છે. તેઓ મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ-1959ની કલમ 14(1)(j-1) હેઠળ ગેરલાયક ઠરાવવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારી રહ્યા છે. આ નિયમ અનુસાર બે કરતાં વધુ બાળકો હોય તેવા વ્યક્તિને પંચાયત સભ્ય અથવા સરપંચની ચૂંટણી લડવા કે પદ પર રહેવા પર પ્રતિબંધ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.