બ્રિટિશ બ્રોકરેજ ફર્મ બાર્કલેજે મંગળવારે કહ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે દેશવ્યાપી લૉકડાઉનને 3 મે સુધી વધારવાથી 234.4 અરબ અમેરિકી ડૉલરનું આર્થિક નુકસાન થશે. એના કારણે કેલેન્ડર વર્ષ 2020માં જીડીપી સ્થિર રહી શકે છે.
શૂન્ય હશે કેલેન્ડર વર્ષ 2020માં આર્થિક વૃદ્ધિ
બાર્કલેજે કહ્યું કે આર્થિક વૃદ્ધિ કેલેન્ડર વર્ષ 2020 માટે શૂન્ય હશે અને નાણાંકીય વર્ષના હિસાબે જોવામાં આવે તો 2020-21માં એમાં 0.8 ટકા વૃદ્ધિ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે 3 સપ્તાહ માટે લૉકડાઉન વધારવાની જાહેરાત કરી, જે હવે 3 મે સુધી લાગૂ થશે.
પહેલા 120 અરબ ડૉલરનુ અનુમાન વ્યક્ત કર્યું હતું
એમને સંક્રમણથી અપ્રભાવિત રહેતા ક્ષેત્રોને 20 એપ્રિલથી થોડીક રાહત આપવાની સંકેત આપ્યા, પરંતુ કહ્યું કે આ છૂટ કડક દેખરેખ પર આધારિત હશે. બ્રોકરેજ ફર્મે પહેલા કહ્યું હતુ કે ત્રણ સપ્તાહના લૉકડાઉનમાં 120 અરબ અમેરિકન ડૉલરનું આર્થિક નુકસાન થવાની આશંકા છે. જેના હવે વધીને 234.4 અરબ અમેરિકી ડૉલર સુધી થાય એવું અનુમાન છે.
અઢી ટકા વૃદ્ધિની આશા
આ પહેલા આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભારત કેલેન્ડર વર્ષ 2020માં અઢી ટકાની વૃદ્ધિ દાખલ કરશે, જેને હવે ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. બીજી બાજુ નાણાંકીય વર્ષ 2020-21માં પહેલા 3.5 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જે હવે ઘટાડીને 0.8 ટકા કરી દેવામાં આવ્યું છે. ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે વિશેષ રૂપથી ખનન, કૃષિ, વિનિર્માણ અને ઉપયોગિતા ક્ષેત્રો પર અનુમાનથી વધારે નકારાત્મક અસર જોવા મળશે.
આટલી રહી શકે છે GDP
જાણવા મળ્યું છે કે વિશ્વ બેંક અનુસાર દેશનો આર્થિક વૃદ્ધિ દર 2020-21માં 1.5 ટકાથી 2.8 ટકા રહી શકે છે. 1991માં આર્થિક સુધારા બાદથી આ સૌથી ધીમો વૃદ્ધિ દર હશે.
એશિયાઇ વિકાસ બેંકે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2020-21માં ચાર ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું.
એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે 3.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
સેન્ટ્રમ ઇન્સ્ટીટ્યૂશનલ રિસર્ચે પણ 2020-21માં આર્થિક વૃદ્ધિ દર અનુમાન 5.2 ટકાથી ઓછો કરીને 3.1 ટકા કરી દીધો છે.