બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus mucormycosis Guillain-Barre syndrome Patient gujarat

ચિંતાજનક / ગુજરાતમાં હવે GBS નામના રોગના 30થી વધુ કેસ આવ્યા સામે, આ છે લક્ષણો

Hiren

Last Updated: 06:59 PM, 20 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મ્યુકોર્માઇકોસિસ બાદ હવે GBS(ગુલિયન બેરે સિમ્ડ્રોમ) રોગનું જોખમ વધ્યું છે. વાયરલ ઈન્ફેક્શનના કારણે દર્દીને GBS(નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલ રોગ) થાય છે.

  • કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે મહત્વના સમાચાર
  • મ્યુકોર્માઇકોસિસ બાદ હવે GBS રોગનું જોખમ
  • વાયરલ ઈન્ફેક્શનના કારણે થાય છે દર્દીને GBS

કોરોના બાદ વધુ એક ઘાતક બીમારી મ્યુકોર્માઇકોસિસે એન્ટ્રી મારી છે. જેના કારણે અત્યાર સુધીમાં 7 દર્દીઓએ આંખ ગુમાવી છે. પોસ્ટકોવિડ બાદ 15 નવેમ્બરથી મ્યુકોર્માઇકોસિસ થવાના કેસ સામે આવ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં ગુલીયન બેરે સિમ્ડ્રોમ નામના રોગના દર્દીઓ વધ્યા છે. GBS રોગથી નર્વ સિસ્ટમની નસોને નુકશાન થાય છે. અત્યાર સુધી ગુજરાતમાં 30થી વધુ કેસ સામે આવ્યા છે.

મહત્વનું છે કે, ગુલિયન બેરે સિન્ડ્રોમ એવો વિકાર છે, જેમાં દર્દીના શરીરમાં પહેલા સિહરન અથવા દર્દ થવા લાગે છે અને પછી ત્યારબાદ તેની સ્નાયુઓ કમજોર થવા લાગી છે. લક્ષણ જાણ થતા જ સારવાર ન થવા પર બ્રીધિંગ મસલ્સ પણ કમજોર થઇ જાય છે. અનેક વખત દર્દીને લકવા પણ થઇ જાય છે.

ગુલિયન બેરે સિન્ડ્રોમના લક્ષણો

ગુલિયન બેરે સિન્ડ્રોમની શરૂઆત પગમાં દુખાવા અને નબળાઈ સાથે થઈ શકે છે. તેમાં મુખ્યત્વે બેસીને ઊઠવામાં મુશ્કેલી પડે છે ત્યારબાદ બંને પગ, હાથ અને ચહેરામાં આ રોગ આગળ વધી શકે છે. દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.

દર્દી ચાલવામાં તકલીફ થવાની શરૂઆત થયા બાદ કેટલાક દિવસોમાં દર્દી પથારીવશ થઈ જાય છે. હાથ-પગનુ હલનચલન બંધ થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ વધે છે. 1-2 અઠવાડિયાં સુધી તકલીફો વધતી રહે છે જ્યારબાદ દર્દીની પરિસ્થિતિમાં 1-2 અઠવાડિયાં સુધી સ્થિરતા આવે છે. ત્યારબાદ સુધાર આવે છે. 

જો કોઈ દર્દી ચાલી ન શકે, હાથ-પગમાં નબળાઈ અનુભવે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, તો તેણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઇને સારવાર મેળવવાની જરૂર છે. આ પ્રકારના દર્દીઓમાં જ્ઞાનતંતુઓ સક્રિય થવાનું ફરી શરૂ ન કરે ત્યાં સુધી શ્વાસ લેવા માટે વેન્ટિલેટર કે મશીન પર લેવાની જરૂર પડી શકે છે. સાધારણ રીતે રિકવરી સારી હોય છે, પરંતુ તેમાં 3થી 6 મહિના લાગી શકે છે અથવા જ્ઞાનતંતુઓને થયેલા નુકસાનને આધારે વર્ષ પણ લાગી શકે છે.

આ રોગનું નિદાન નૈદાનિક પરીક્ષણ, નર્વ કંડક્શન સ્ટડી, મણકાના પાણીનો ટેસ્ટ,અન્ય કારણો અને એન્ટિબોડી પરીક્ષણો ન કરવા લોહીનું પરીક્ષણ કરીને થાય છે.

મ્યુકોર્માઇકોસિસ કોરોનાથી પણ ઘાતક બીમારીઃ ડૉક્ટર

મ્યુકોર્માઇકોસિસના દર્દીઓ 15 નવેમ્બરથી વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં 7 દર્દીઓએ પોતાની આંખ ગુમાવી છે. એક મહિનામાં મ્યુકોર્માઇકોસિસના 20 કેસ નોંધાયા છે. ડૉક્ટરો જણાવી રહ્યા છે કે, મ્યુકોર્માઇકોસિસ કોરોનાથી પણ ઘાતક બીમારી છે. જો નાક, આંખ, કાનમાં તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લેવી.

મ્યુકોર્માઇકોસિસને જાણીએ, ડરીએ નહીં, જુઓ VTVની વિશેષ ચર્ચા

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Guillain-Barre syndrome mucormycosis કોરોના વાયરસ ગુજરાત coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ