બ્રેકિંગ ન્યુઝ
જો તમારી સાથે પણ નોકરીને લઇને સમસ્યા થઇ છે તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જે હેઠળ બેરોજગાર હોવાની સ્થિતિમાં કર્મચારીને 24 મહિના સુધી રૂપિયા મળશે. જાણો આ યોજના વિશે વિસ્તારથી...
ADVERTISEMENT
મોદી સરકારની આ સ્કીમનું નામ 'અટલ બીમિત વ્યકિત કલ્યાણ' યોજના છે. આ યોજના હેઠળ નોકરી ગુમાવવા પર તમને 2 વર્ષ સુધી આર્થિક મદદ મળશે. આ આર્થિક મદદ દર મહિને આપવામાં આવશે. બેરોજગાર વ્યક્તિને આ લાભ તેની ગત 90 દિવસની એવરેજ આવકના 25 % બરાબર આપવામાં આવશે.
આ યોજનાનો લાભ સંગઠિત ક્ષેત્રના તે જ કર્મચારીઓ ઉઠાવી શકે છે તે ESIC થી બીમિત છે અને જેઓ બે વર્ષ કરતા વધારે નોકરી કરી ચૂક્યા છે. આ સિવાય આધાર તથા બેંક એકાઉન્ટથી જોડાયેલી વિગતો હોવી જરૂરી છે.
ADVERTISEMENT

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમારે સૌથી પહેલા ESIC ની વેબસાઇટ પર જઇને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણની યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
ADVERTISEMENT
આ યોજના વિશે વિસ્તારથી જાણવા માટે તમારે https://www.esic.nic.in/ પર ક્લિક કરીને જાણકારી મેળવી શકશો.
ઉલ્લેખનીય છે કે, આ યોજનાની ફાયદો તે લોકોને નહી મળે કે જેમણે પોતાના ખોટા વ્યવહારને માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય. આ સિવાય ગુનાનો કોઇ કેસ ચાલતો હોય અથવા તો રિટાયરમેન્ટ લેનારા કર્મચારીને પણ આ યોજનાનો લાભ નહી મળે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.