કોરોના માહામારીની સીધી અસર દેશની જનતાની સાથે સાથે દેશની ઇકૉનોમી પર પણ પડી છે. આજ સ્થિતિમાં લોકોની નોકરી પર પણ સંકટમાં મૂકાઇ છે. ઘણી કંપનીઓને છટણી કરવાની પણ શરૂ કરી દીધી છે.
જો તમારી સાથે પણ નોકરીને લઇને સમસ્યા થઇ છે તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જે હેઠળ બેરોજગાર હોવાની સ્થિતિમાં કર્મચારીને 24 મહિના સુધી રૂપિયા મળશે. જાણો આ યોજના વિશે વિસ્તારથી...
મોદી સરકારની આ સ્કીમનું નામ 'અટલ બીમિત વ્યકિત કલ્યાણ' યોજના છે. આ યોજના હેઠળ નોકરી ગુમાવવા પર તમને 2 વર્ષ સુધી આર્થિક મદદ મળશે. આ આર્થિક મદદ દર મહિને આપવામાં આવશે. બેરોજગાર વ્યક્તિને આ લાભ તેની ગત 90 દિવસની એવરેજ આવકના 25 % બરાબર આપવામાં આવશે.
આ યોજનાનો લાભ સંગઠિત ક્ષેત્રના તે જ કર્મચારીઓ ઉઠાવી શકે છે તે ESIC થી બીમિત છે અને જેઓ બે વર્ષ કરતા વધારે નોકરી કરી ચૂક્યા છે. આ સિવાય આધાર તથા બેંક એકાઉન્ટથી જોડાયેલી વિગતો હોવી જરૂરી છે.
જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમારે સૌથી પહેલા ESIC ની વેબસાઇટ પર જઇને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણની યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
ઉલ્લેખનીય છે કે, આ યોજનાની ફાયદો તે લોકોને નહી મળે કે જેમણે પોતાના ખોટા વ્યવહારને માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય. આ સિવાય ગુનાનો કોઇ કેસ ચાલતો હોય અથવા તો રિટાયરમેન્ટ લેનારા કર્મચારીને પણ આ યોજનાનો લાભ નહી મળે.