બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોના વાયરસના કારણે કોઇ દર્દીનું મોત થઇ જાય છે તો એના પરિજનોને ક્લેમ આપવા માટે કોઇ પણ ઇન્શ્યોરન્સ કંપની ના પાડી શકશે નહીં, જીવન વીમા કંપનીઓના સંગઠન લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે સોમવારે આ વાત સ્પષ્ટ કરી છે.
એટલે કે કોરોના વાયરસથી જો કોઇ પૉલિસી હોલ્ડરનું મૃત્યુ થાય છે તો નૉમિનીને ડેથ બેનિફિટ તરીકે સમ એશ્યોર્ડ એટલે બિમિત રકમ મળશે. જ્યારે ઇન્શ્યોર્ડ એટલે કે બીમિત વ્યક્તિનું મોત થાય છે ત્યારે ડેથ બેનિફિટ નૉમિનીને મળે છે. એના માટે નૉમિનીને ક્લેમ ફાઇલ કરવો પડે છે.
ADVERTISEMENT
શું કહ્યું કાઉન્સિલે
કોઉન્સિલે કહ્યું કે તમામ વીમા કંપનીઓ કોવિડ 19ના કારણે થયેલા મોતનો સિલસિલામાં ક્લેમ નિપટાન કરવા માટે બંધાયેલ છે. કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું કે સાર્વજનિક અને ખાનગી, બંને પ્રકારની જીવન વીમા કંપનીઓ કોવિડ 19થી સંબંધિત કોઇ પણ મૃત્યુ પર ક્લેમના નિપટાન માટે બંધાયેલ છે.
આ માટે ચાલી રહી હતી ચર્ચાઓ
નોંધનીય છે કે આ માટે ઘણા પ્રકારની અફવાઓ અને ચર્ચાઓ ચાલી રહી હતી કે કોરોના વાયરસથી જો કોઇનું મોત થયું તો એના પરિજનોના વીમા ક્લેમને વીમા કંપનીઓને નકારી શકે છે, કારણ કે કોવિડ 19 બિલકુલ નવી મહામારી છે અને એની પૉલિસીમાં કોઇ ચર્ચા નહતી. પરંતુ જીવન વીમા કાઉન્સિલે હવે એને સ્પષ્ટ કરી દીધું છે કે કોઇ પણ કંપની આવા ક્લેમને નિપટાવવા માટે ના પાડી શકે નહીં.
ADVERTISEMENT
આ મામલે નહીં લાગૂ થાય 'ફોર્સ મેજર'
કાઉન્સિલે કહ્યું કે કોવિડ 19થી મોતના દાવાના મામલામાં 'ફોર્સ મેજર'ની જોગવાઇ લાગૂ થશે નહીં. ફોર્સ મેજરનો મતલબ છે કે એવી અપ્રત્યાશિત દશાઓ, જ્યારે કરારનું પાલન બંધાયેલ હોતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.