બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / congress mla kantilal bhuria ram mandir fund statement bjp leaders adhya pradesh

આરોપ / રામ મંદિરના નામે ભાજપ નેતા ફાળો ઉઘરાવે છે અને રાત્રે નદીએ જઈને આવું કરે છે, કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ

Hiralal

Last Updated: 07:45 PM, 2 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કામ માટે ફંડ ઉઘરાવવાનું ચાલુ છે અને દેશભરમાંથી ફંડ-ફાળો ઉઘરાવાઈ રહ્યો છે પરંતુ હવે ફંડ-ફાળા અંગે એક વિવાદ થયો છે.

  • ભાજપવાળા દિવસમાં રામ મંદિરને નામે ફંડ ઉઘરાવે છે અને રાતે આ પૈસાનો દારુ પી જાય છે : કાંતિલાલ ભુરિયા
  • કાંતિલાલ ભુરિયા રામભક્તોને બદનામ કરી રહ્યાં છે :મધ્યપ્રદેશના પ્રોટેમ સ્પીકર
  • રામ મંદિર માટે ફંડ-ફાળો ઉઘરાવવો ભાજપનો ધંધો બની ગયો છે. લોકોએ ભાજપથી સાવધાન રહેવું જોઈએ.:મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સચિન સાવંત

મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિલાલ ભુરિયાએ એવું જણાવ્યું કે ભાજપવાળા દિવસમાં રામ મંદિરને નામે ફંડ ઉઘરાવે છે અને રાતે આ પૈસાનો દારુ પી જાય છે.     

ભુરિયાએ કહ્યું કે ભાજપ ઘણા લાંબા સમયથી રામ મંદિર નિર્માણનો નારો લગાવતો રહ્યો છે. પહેલા પણ કરોડો રુપિયા ભેગા કરાયા હતા પરંતુ તેનો હિસાબ આપ્યો નથી. આજકાલ ભાજપના નેતા ઘેર ઘેર જઈને પૈસા ભેગા કરી રહ્યાં છે રાતે દારુ પીએ છે અને વાત ભગવાન રામના મંદિરની કરે છે. 

મધ્યપ્રદેશના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે કાંતિલાલ ભુરિયા રામભક્તોને બદનામ કરી રહ્યાં છે અને તેમણે ચેનથી રામમંદિર નિર્માણ કામ થવા દેવું જોઈએ. ભુરિયા દારુની વાત ન કરે તો ઘણુ સારુ છે કારણ કે તેમને ખબર છે કે તેમની પાર્ટીમાં કોણ કોણ પેગ લગાવે છે. 

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સચિન સાવંતે પણ એવો આક્ષેપ કર્યો કે રામ મંદિર માટે ફંડ-ફાળો ઉઘરાવવો ભાજપનો ધંધો બની ગયો છે. લોકોએ ભાજપથી સાવધાન રહેવું જોઈએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ