બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / Chanakya Niti: Must do these 3 things in this birth, you will get happiness and success at every step
Megha
Last Updated: 09:01 AM, 23 June 2023
84 લાખ જન્મોમાં માનવ જીવન શ્રેષ્ઠ માનવામાં આવે છે, ચાણક્ય અનુસાર કોઈપણ વ્યક્તિનો જન્મ કોઈ ખાસ હેતુ સાથે થાય છે. માનવ જીવન મૂલ્યવાન છે. ચાણક્ય નીતિમાં માનવ જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે વિશેષ કાર્ય કરવું જોઈએ.
કોણ હતા ''ચાણક્ય''?
આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય તેમના રાજનીતિ વિદ્વાનતા, આચાર-વિચારની નીતિશાસ્ત્રના રાજદ્વારી તરીકે ગુણોથી ખૂબ જ જાણીતા છે. જણાવી દઈએ કે ચાણક્યનું જન્મ સમયનું નામ વિષ્ણુગુપ્ત હતું અને ચણક આચાર્યના પુત્ર હોવાને કારણે તેમને 'ચાણક્ય' કહેવામાં આવતા હતા. આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી, શિક્ષક સહિત તેમના સ્થાપક હતા. આચાર્ય ચાણક્ય મૌર્ય વંશના રાજનૈતિક ગુરુ હતા. ઇ. સ. 2500 માં આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર, લઘુ ચાણક્ય, વૃધ્ધ ચાણક્ય, ચાણક્ય-નીતિ શાસ્ત્ર લખ્યા હતા. આચાર્ય ચાણક્યની કૂટનીતિઓ આજના સમયમાં પણ સંપૂર્ણ રીતે બંધબેસે છે.
સફળ થવુ છે તો ચાણક્યની આ વાતોને કરો ફૉલો
કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી થાય તો બધા કામ સારા થાય છે. ચાણક્યનુ માનવુ છે કે દિવસની શુભ શરૂઆત માટે વ્યક્તિએ અમુક ચીજ વસ્તુઓનુ ફરજીયાત પાલન કરવુ જોઈએ ત્યારે જીવનમાં સફળતા મળે છે અને માણસ તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. સમયની કિંમતને સમજનારા લોકો જીવનમાં ક્યારેય અસફળ થતા નથી. ચાણક્ય મુજબ દરરોજ સવારે ઉઠ્યા બાદ ચાણક્યની આ વાતોને ફોલો કરશો તો સફળતા નિશ્ચિત છે.
આ એવું કામ છે જે વ્યક્તિને જીવતા અને મૃત્યુ પછી પણ શુભ ફળ આપે છે, દરેક પગલા પર સુખ અને સફળતા આપે છે.
ધાર્મિક પાલન
ચાણક્ય નીતિ કહે છે કે જે વ્યક્તિ ધર્મ હેઠળ રહે છે તે ક્યારેય દુઃખી નથી થતો. તેના જીવનમાં સમસ્યાઓ ચોક્કસપણે આવે છે પરંતુ માત્ર એક ક્ષણ માટે. તેમનો ધર્મ લોકોને જીવનના સાચા માર્ગ પર લઈ જાય છે, જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે તે ક્યારેય ખરાબ કાર્યો કરતો નથી.
કામ કરો
આચાર્ય ચાણક્ય કહે છે કે જે પણ જીવ મનુષ્ય તરીકે જન્મે છે તેણે પોતાના જીવનમાં કોઈને કોઈ કાર્ય અવશ્ય કરવું જોઈએ, લક્ષ્ય વિનાનું જીવન પ્રાણી જેવું છે. જે વ્યક્તિ પોતાના પગ પર ઉભો રહે છે તેને ક્યારેય કોઈની સામે હાથ લંબાવતો નથી. મહેનતુ વ્યક્તિમાં જવાબદારીની ભાવના હોય છે. કામ કરનારને ભગવાન પણ સાથ આપે છે. બીજી બાજુ જેઓ કંઈ કરતા નથી તેઓ તેમના કુળને તેમના જીવન સાથે નાશ કરે છે.
સંપત્તિ
ચાણક્ય નીતિ અનુસાર માણસના જીવનમાં પૈસાનું હોવું ખૂબ જ જરૂરી છે. પૈસા મેળવવા માટે વ્યક્તિએ પોતાનું લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે. પૈસા કમાવવા ઉપરાંત તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે, તો જ તે સુખ અને સફળતા લાવશે. પૈસા આવે ત્યારે બચત, રોકાણ અને દાનમાં તેનો સારો ઉપયોગ કરો.
મુક્તિ
મોક્ષ એ કોઈપણ વ્યક્તિના જીવનનો છેલ્લો તબક્કો છે, દરેક વ્યક્તિ પોતાના ધ્યેય, કાર્ય અને કર્મો દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે. સત્કર્મ કરનારને જ મોક્ષ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime