બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ચૈત્રી નવરાત્રિના નવ ભોગ, જાણો કયા દિવસે કયા દેવીને કયો ભોગ ચઢાવવો શુભ?

ધર્મ / ચૈત્રી નવરાત્રિના નવ ભોગ, જાણો કયા દિવસે કયા દેવીને કયો ભોગ ચઢાવવો શુભ?

Jinal Chauhan

Last Updated: 08:18 AM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્ર નવરાત્રીમાં માતાજીના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન દરેક દિવસે માતાજીને તેમના મનપસંદ ભોગ ચઢાવવામાં આવે છે. જાણો કે નવરાત્રીના કયા દિવસે કઈ દેવીને કયો ભોગ અર્પણ કરવો.

નવરાત્રી હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. આ નવ દિવસોમાં માતાજીના અલગ-અલગ ૯ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસોમાં શ્રદ્ધાથી અને નિયમ મુજબ માતા દુર્ગાની આરાધના કરવાથી જીવનના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે.

વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી આવે છે જેને અલગ નામોથી ઓળખવામાં આવે છે. તેમાં બે પ્રગટ અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. ચૈત્ર મહિનાની નવરાત્રી પ્રગટ નવરાત્રી છે જેમાં ભક્તો ૯ દિવસ સુધી વ્રત રાખે છે અને નિયમિત રીતે પૂજા કરે છે.

ચૈત્ર નવરાત્રી 2026 ક્યારે છે

પંચાંગ મુજબ ચૈત્ર મહિનાની નવરાત્રી ચૈત્ર સુદ પ્રતિપદા થી શરૂ થઈને ચૈત્ર નવમી સુધી ચાલે છે. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થશે અને આ જ દિવસે હિંદુ નવું વર્ષ પણ શરૂ થશે. નવરાત્રીનો સમાપન 27 માર્ચે થશે અને આ દિવસે રામ નવમી પણ ઉજવાશે. આ નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત હોય છે અને માન્યતા મુજબ આ સમયમાં માતાજી પૃથ્વી પર આવીને ભક્તોને આશીર્વાદ આપે છે અને જીવનમાં સુખ-શાંતિ લાવે છે.

ચૈત્ર નવરાત્રીના 9 દિવસ અને 9 ભોગ

નવરાત્રીના દરેક દિવસે માતાજીના અલગ સ્વરૂપની પૂજા થાય છે અને દરેક દિવસે ખાસ ભોગ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે માતાજીને તેમની પસંદનો ભોગ ચઢાવવાથી ખાસ આશીર્વાદ મળે છે.

alia-bhatt (8)

પહેલો દિવસ

પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે. તેમને ખીરનો ભોગ ચઢાવવો શુભ માનવામાં આવે છે, જે આરોગ્ય માટે સારો છે.

બીજો દિવસ

બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. તેમને મીઠી વસ્તુઓ જેમ કે મિશ્રી અથવા ખાંડનો ભોગ ચઢાવો, જેથી સુખ-શાંતિ મળે.

ત્રીજો દિવસ

ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે. તેમને દૂધથી બનેલી વસ્તુઓનો ભોગ ચઢાવવાથી દુઃખ દૂર થાય છે.

ચોથો દિવસ

ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા થાય છે. તેમને માલપૂઆનો ભોગ ચઢાવવો શુભ છે.

Navratri-MSG

પાંચમો દિવસ

પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા થાય છે. તેમને કેળાનો ભોગ ચઢાવવાથી આશીર્વાદ મળે છે.

છઠ્ઠો દિવસ

છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા થાય છે. તેમને મધનો ભોગ ચઢાવવાથી વ્યક્તિત્વમાં તેજ આવે છે.

સાતમો દિવસ

સાતમા દિવસે મા કાળરાત્રિની પૂજા થાય છે. તેમને ગોળનો ભોગ ચઢાવવાથી ભય દૂર થાય છે.

આઠમો દિવસ

આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે. તેમને નાળિયેરનો ભોગ ચઢાવવાથી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આજથી ચૈત્રી નવરાત્રિ, પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા, જાણો કથા, પૂજા વિધિ

નવમો દિવસ

નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. તેમને હલવો-પૂરી, ચણા અને નાળિયેરનો ભોગ ચઢાવવો ખૂબ શુભ માનવામાં આવે છે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chaitra navratri durga 9 forms navratri bhog list
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ