બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજથી ચૈત્રી નવરાત્રિ, પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા, જાણો કથા, પૂજા વિધિ

ધર્મ / આજથી ચૈત્રી નવરાત્રિ, પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા, જાણો કથા, પૂજા વિધિ

Last Updated: 03:23 AM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્ર નવરાત્રી 19 માર્ચ 2026થી શરૂ થવાની છે. જેમાં પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવાનો મહિમા છે. આ દિવસે તેમની ખાસ પૂજા પદ્ધતિથી અર્ચના કરવામાં આવે છે. ચાલો તેના વિષે જાણીએ.

ચૈત્ર નવરાત્રી 19 માર્ચ 2026થી શરૂ થશે. નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ સ્થિરતા, શક્તિ, ઉત્સાહ અને નવી શરૂઆતનું પ્રતીક મનાય છે. આ દિવસે પ્રતિપદા પર સૌપ્રથમ કળશ સ્થાપિત કરવામાં આવે છે. કળશ સ્થાપિત કરીને ઘરો અને મંદિરોમાં દેવી દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે અને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સંપત્તિ અને વૈવાહિક આનંદ માટે તેમની પ્રાર્થના કરવામાં આવે છે. અહીંયા આપણે દેવીના સ્વરૂપ તેમની પૂજા કેવી રીતે કરવી અને તેમને કયા રંગના ફૂલો ચઢાવવા જોઈએ તે વિશે જાણીશું.

આ દિવસે દેવીને સફેદ ફૂલો અને સફેદ મીઠાઈઓ ચઢાવવામાં આવે છે. આ દિવસે મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. આ સિવાય કળશ સ્થાપિત કરવાથી દેવી શૈલપુત્રી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

  • દેવી શૈલપુત્રીની પૌરાણિક માન્યતાઓ

પૌરાણિક માન્યતાઓ અનુસાર તેમના પૂર્વ જન્મમાં દેવી શૈલપુત્રીનું નામ સતી હતું અને તે ભગવાન શિવની પત્ની હતી. સતીના પિતા દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કર્યું હતું. આથી સતીએ યજ્ઞ અગ્નિમાં આત્મદાહ આપ્યો હતો. તેના બીજા જન્મમાં સતી શૈલ રાજા હિમાલયની પુત્રી તરીકે પ્રગટ થઈ. દેવી દુર્ગાના આ સ્વરૂપનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું કેમ કે તે શૈલ રાજ હિમાલયની પુત્રી તરીકે જન્મી હતી. કઠોર તપસ્યા પછી, તેણીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા. શૈલપુત્રી દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંનું પ્રથમ સ્વરૂપ છે. દેવી શૈલપુત્રીનું સ્વરૂપ શૈલપુત્રી બળદ પર સવારી કરે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. દેવી શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા અને દ્રઢતા આવે છે. તે સફેદ વસ્ત્રો પહેરે છે. તેમને સફેદ ફૂલોથી શણગારવામાં આવે છે. દેવી માતાનું આ સ્વરૂપ સૌભાગ્ય અને શાંતિનું પ્રતીક છે. ત્યાર બાદ કઠિન તપસ્યા બાદ શિવ સાથે મેરેજ કર્યા હતા.

vtv app promotion

શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી નવરાત્રિના પહેલા દિવસે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે સ્નાન કર્યા બાદ પૂજા સ્થાન પર ફૂલો, અખંડ ચોખાના દાણા, રોરી, ચંદનનો લેપ, અબીર, ગુલાલ, ફળો, મીઠાઈઓ, પ્રસાદ, ગાયનું ઘી, દીવા વગેરે જેવી બધી પૂજા સામગ્રી લઈને બેસવું જોઈએ. પંચમેવ (પાંચ સૂકા મેવા), મીઠાઈઓ, રોલી, સિંદૂર, અખંડ ચોખાના દાણા, લાલ કાપડ, ફૂલો, લવિંગ, ઘી, કળશ, કળશ માટે કેરીના પાન, એક ચોકી, હવન સમાગરી, કમળના બીજ, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, ફળો, ખાંડની મીઠાઈ, મીઠાઈઓ, પૂજા માટેનું આસન, હળદરનો ગઠ્ઠો, ધૂપ લાકડીઓ, કુમકુમ, અત્તર, દીવા અને આરતી થાળી. કુશ, લાલ ચંદન, શ્રીખંડ ચંદન, જવ, તલ, માતાની મૂર્તિ, ઘરેણાં અને શણગારની વસ્તુઓ, ફૂલો.

  • પૂજા કેવી રીતે કરવી?
    સૌ પહેલા માતાની સામે ઉત્તર દિશામાં મુખ કરીને સફેદ આસન પર સ્થિર મન રાખીને બેસો. માતા શૈલપુત્રીની સામે ઘીનો દીવો પ્રગટાવો. લાલ કે સફેદ કપડાથી ઢંકાયેલા લાકડાના બાજવટ પર માતા શૈલપુત્રીનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરો. પૂજાસ્થળમાં બધા દેવતાઓને સ્નાન કરાવ્યા બાદ માતા શૈલપુત્રીને સ્નાન કરાવો. માતા શૈલપુત્રીને સફેદ વસ્ત્રો અને સફેદ ફૂલો અર્પણ કરો. ત્યાર બાદ માતાને વારાફરતી બધી ઉપલબ્ધ વસ્તુઓ અર્પણ કરો અને સફેદ મીઠાઈઓ, ખીર વગેરે અર્પણ કરો.
  • શૈલપુત્રીના આશીર્વાદ માટે ખાસ મંત્રો
  1. ॐ शं शैलपुत्री दैव्यै नमः
  2. या देवी सर्वभू‍तेषु शैलपुत्री रूपेण संस्थिता।
  3. नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
  • માતા શૈલપુત્રીનો પ્રિય પ્રસાદ કયો ?

શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ માતા શૈલપુત્રીને ખૂબ પ્રિય છે. સફેદ ખોરાક પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. ગાયનું ઘી પણ અર્પણ કરવું જોઈએ. માખાનાની ખીર માતાને ખૂબ પ્રિય છે. અપરિણીત છોકરીઓને પ્રસાદ વહેંચો.

વધુ વાંચો : ચૈત્રી નવરાત્રિ પર માતા રાણીને અર્પિત ન કરતાં આ ચીજો, નહીંતર નારાજ થઈ જશે મા દુર્ગા

  • માતા શૈલપુત્રી પાસેથી કયા આશીર્વાદ લેવા?
    માતા શૈલપુત્રી સુખ, દીર્ધાયુષ્ય અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે. માતા શૈલપુત્રી નિર્ણાયકતા, મજબૂત શ્રદ્ધા અને આત્મવિશ્વાસના આશીર્વાદ આપે છે. તે એકાગ્રતા, માનસિક સ્થિરતા અને શાંતિના આશીર્વાદ આપે છે. માતા દેવીના આશીર્વાદથી, જીવનમાંથી દરેક ભય, ડર, રોગો, વૃદ્ધાવસ્થા અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra Navratri Shailputri Worship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ