બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Central Government's reply to the Supreme Court on the issue of Jammu and Kashmir
Priyakant
Last Updated: 01:15 PM, 31 August 2023
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. વાત જાણ એમ છે કે, આજે કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં 13મા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અમે કેન્દ્રશાસિત પ્રદેશમાં ગમે ત્યારે ચૂંટણી કરાવવા માટે તૈયાર છીએ. આ સાથે કહ્યું કે, મતદાર યાદી લગભગ તૈયાર છે પરંતુ પહેલા પંચાયતની ચૂંટણી કરાવવામાં આવશે.
ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત ક્યારે થશે ?
કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ આ અંગે નિર્ણય લેશે. જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં પંચાયતની ચૂંટણી યોજાશે. લેહ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજાઈ ગઈ છે. કારગીલની આ ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે. તેમણે સુપ્રીમ કોર્ટમાં એમ પણ કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રશ્ન છે, તો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ તેના માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપી શકે તેમ નથી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને શું પૂછ્યું હતું ?
આ પહેલા 29 ઓગસ્ટના રોજ યોજાયેલી 12મી દિવસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર કયા સમયમાં ફરીથી રાજ્યનો દરજ્જો મેળવી શકશે. આ અંગે કેન્દ્ર દ્વારા આજે જવાબ દાખલ કરવામાં આવ્યો છે.
રાજ્યની રચના માટે સમયમર્યાદા શું ?
છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, સરકાર જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે પરંતુ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. કેન્દ્ર વતી એસજી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ ગુરુવારે આ સંદર્ભમાં સકારાત્મક નિવેદન આપશે. આ દરમિયાન તેણે કોર્ટને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને અસ્થાયી રૂપે બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વહેંચવામાં આવ્યું છે. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે, પરંતુ જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં ફરીથી રાજ્ય બનાવવામાં આવશે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યમાં ચૂંટણી લોકતંત્ર પુનઃસ્થાપિત કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, હાલની વ્યવસ્થા ખતમ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો કાયમી બાબત નથી. આ જટિલ મુદ્દા પર સરકારે આજે કોર્ટમાં પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime