બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / CBDT notifies e appeals scheme 2023
Hiralal
Last Updated: 03:02 PM, 31 May 2023
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ એક નવી સુવિધા શરૂ કરી છે. CBDTએ ઈ-અપીલ સ્કીમ લોન્ચ કરી છે, જેની જાહેરાત આ વર્ષના બજેટ (બજેટ 2023)માં કરવામાં આવી હતી. ઈ-અપીલ સ્કીમ હેઠળ, ટીડીએસ અને ટીસીએસ સંબંધિત અપીલ અથવા સ્રોત પર એકત્રિત કરની અપીલ ઓનલાઇન કરી શકાય છે અને તેનો ઉકેલ પણ ઓનલાઈન કરી દેવાશે.
ઝડપી બનશે ટીડીએસ અને ટીસીએસ સંબંધિત ફરિયાદોનો ઉકેલ
એક વાર ઓનલાઈન ફરિયાદો કે અપીલ થયા બાદ તે જોઈન્ટ કમિશનર (અપીલ) સુધી પહોંચશે. ત્યારબાદ તેઓ આ અપીલોનો નિકાલ કરી શકશે અથવા તેમને ફાળવી શકશે અને તેમને સ્થાનાંતરિત પણ કરી શકશે. આ પ્રક્રિયાથી ટીડીએસ અને ટીસીએસ સંબંધિત ફરિયાદોના નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે.
🔎 An Overview on the New e-Appeals Scheme 2023
— CAclubindia (@CAclubindia) May 31, 2023
◼ The Income Tax department has introduced the e-Appeals Scheme, a significant development aimed at streamlining the process of filing and processing appeals through electronic means. This scheme, launched by the Central Board of…
ટેક્સપેયર્સ ગમે ત્યાંથી અરજી કરી શકશે
જોઇન્ટ કમિશનર (અપીલ) પાસે કારણદર્શક નોટિસ ફટકારવાની અને સંબંધિત કાયદાઓ હેઠળ દંડ લાદવાની સત્તા પણ હશે. પરંતુ ફિઝિકલ મીટિંગના અભાવે તેમને સમન્સ ઇશ્યૂ કરવાની કોઇ સત્તા રહેશે નહીં. અપીલકર્તાની વ્યક્તિગત સુનાવણીની અપીલ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. કર અધિકારીઓ દ્વારા જારી કરાયેલા આકારણી આદેશ સામે, અપીલકર્તાઓ તેમના કેસના સમાધાન માટે ગમે ત્યાંથી અરજી કરી શકશે અને સુનાવણીમાં હાજર રહી શકશે.
કરદાતાઓને રાહત મળશે
ઇ-અપીલ સ્કીમમાં વીડિયો કોન્ફરન્સિંગનો સમાવેશ કરવામાં આવશે. આ ટેકનોલોજીનો લાભ લઈને આ યોજનાનો હેતુ અપીલ પ્રક્રિયામાં સામેલ કરદાતાઓને સુવિધા પૂરી પાડવાનો અને તેમના માટે સુલભતા વધારવાનો છે. આ સાથે કરદાતાઓને આવકવેરાની કચેરીમાં જવું નહીં પડે.
કેન્દ્ર સરકારે ફાઈનાન્સ બિલમાં કર્યા ફેરફાર
કેન્દ્ર સરકારે ફાઈનાન્સ બિલમાં સુધારો કરીને નવા જોઈન્ટ કમિશનર (અપીલ)ને આવકવેરા કાયદામાં સામેલ કરી દીધા છે. સીબીડીટી આ હેતુ માટે આવકવેરા વિભાગના સંયુક્ત કમિશનરની પોસ્ટ પર લગભગ 100 લોકોની ભરતી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime