બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સરકાર બદલી શકે છે સિમ-બાઇન્ડિંગનો નિયમ? આ એપ્સને મળી શકે છે રાહત
Last Updated: 10:52 PM, 8 March 2026
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા સિમ-બાઇન્ડિંગ નિયમો અંગે એક નવો ફેરફાર આવી શકે છે. અહેવાલો સૂચવે છે કે સરકાર આ નિયમોમાં છૂટછાટ આપવાનું વિચારી શકે છે. અનેક ટેક કંપનીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સે આ નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી છે જેના કારણે સરકારને આ બાબતની ફરીથી વિચારવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ડિસેમ્બર 2025 માં નવા નિયમો જાહેર કર્યા હતા. આ નિયમો અનુસાર મેસેજિંગ એપ્સ કાયમી ધોરણે યુઝર્સના મોબાઇલ સિમ સાથે કનેક્ટ હોવું જોઈએ. મતલબ કે એપ્લિકેશનનો ઉપયોગ માત્ર એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સમાન સિમ નંબરવાળા ડિવાઈઝ પર જ થઈ શકે છે.
ADVERTISEMENT
આ નિયમોમાં એમ પણ જણાવ્યું હતું કે, જો કોઈ યુઝર્સ વેબ કે ડેસ્કટોપ વર્ઝન પર આ એપ્સનો ઉપયોગ કરે છે તો તે દર 6 કલાકે ઓટોમેટીક લોગ આઉટ થઈ જશે. સુરક્ષાને મજબૂત બનાવવા અને દુરુપયોગ અટકાવવા માટે આ લવાયું હતું.
ADVERTISEMENT
નિયમોના અમલીકરણની અપેક્ષા રાખીને અમુક મેસેજિંગ પ્લેટફોર્મ્સે પહેલાથી જ ફેરફારો માટે તૈયારી શરૂ કરી દીધી છે. ઉદાહરણ તરીકે, WhatsApp, JioChat અને Arattai જેવી એપ્લિકેશનો તેમના યુઝર્સના એકાઉન્ટ્સને SIM સાથે લિંક કરવા માટે ટેક્નીકલ વ્યવસ્થા પર કામ કરી રહી છે.

ADVERTISEMENT
આ નિયમો અનુસાર કંપનીઓએ ખાતરી કરવાની હતી કે યુઝર્સ માત્ તે ડીવાઇઝ પર જ સર્વિસને ઍક્સેસ કરી શકે જેમાં રજીસ્ટ્રેશન સમયે ઉપયોગમાં લેવાયેલ SIM કાર્ડ હોય. આ કંપનીઓને ટેકનિકલ ફેરફારો લાગુ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
એવામાં ટેક ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક સંગઠનોએ પણ આ નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. જેમાં બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમે જણાવ્યું હતું કે આવા નિયમો ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારક્ષેત્રને ઓળંગી શકે છે અને કાનૂની પ્રશ્નો ઉભા કરી શકે છે. તેમને સાયબર સુરક્ષા માટે સિમ-કેવાયસી પ્રોસેસને મજબૂત બનાવવા અને ટેલિકોમ કંપનીઓ, બેંકો અને તપાસ એજન્સીઓ વચ્ચે સંકલન બનાવવાનું પણ સૂચન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.