બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / નોકરીયાત વર્ગને કેવી રીતે મળે છે ગ્રેચ્યુટીનો ફાયદો? સમજો કેલ્ક્યુલેશન
Last Updated: 12:21 PM, 5 May 2026
નોકરીયાત વર્ગ માટે ગ્રેચ્યુઇટી (Gratuity) એક મહત્વપૂર્ણ આર્થિક સુરક્ષા તરીકે જોવામાં આવે છે. છતાં આજેય ઘણા કર્મચારીઓમાં તેના નિયમો અને લાભ અંગે ગૂંચવણ જોવા મળે છે. ખાસ કરીને “ગ્રેચ્યુઇટી શું છે?” અને “તેનો લાભ કેવી રીતે મળે?” જેવા પ્રશ્નો વારંવાર ઉભા થાય છે. તાજેતરના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે હવે ગ્રેચ્યુઇટી વધુ ફાયદાકારક બની છે. જેના કારણે કર્મચારીઓમાં આને લઈને પ્રશ્નો વધ્યા છે.
ADVERTISEMENT
સૌ પ્રથમ તો ગ્રેચ્યુઇટી મૂળભૂત રીતે કર્મચારીને તેમની લાંબી અને સમર્પિત સેવા બદલ મળતો એક પ્રકારનો નિવૃત્તિને લાગતો લાભ છે. કોઈપણ કર્મચારી જો એક સંસ્થામાં સતત લાંબા સમય સુધી સેવા આપે છે તો તે સંસ્થામાંથી વિદાય લે તે વખતે અથવા નિવૃત્તિ સમયે એકમ રકમ તરીકે ગ્રેચ્યુઇટી મેળવવાનો હકદાર બને છે. અગાઉ આ લાભ મેળવવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષની સેવા જરૂરી હતી પરંતુ હવે નિયમોમાં ફેરફારને કારણે એક વર્ષ નોકરી કરે તેને પણ આ લાભ આપવામાં આવે છે. આથી વધુ લોકો આ યોજના હેઠળ આવરી લેવાયા છે. આ લાભ માત્ર નિશ્ચિત પગાર ધરાવતા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી. પરંતુ મોટાભાગના સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ગ્રેચ્યુઇટીની ગણતરી માટે એક સરળ સૂત્ર અપનાવવામાં આવે છે જે કર્મચારીના છેલ્લા મેળવેલા મૂળ પગાર અને તેમની કુલ સેવા સમયગાળાને આધારિત હોય છે. સામાન્ય રીતે દર વર્ષે 15 દિવસના પગાર જેટલી રકમ ગ્રેચ્યુઇટી તરીકે ગણવામાં આવે છે. તાજેતરમાં સરકારે કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેના મુજબ કર્મચારીનો મૂળ પગાર તેમના કુલ પગાર (CTC) નો ઓછામાં ઓછો 50 ટકા હોવો જોઈએ. આ નિયમને કારણે ગ્રેચ્યુઇટીની ગણતરીમાં વધારો થયો છે.
ADVERTISEMENT
નવા નિયમોના અમલ બાદ કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઇટીની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે.એક્સપર્ટના કહેવા મુજબ હવે કર્મચારીઓને નિવૃત્તિ અથવા રાજીનામા સમયે મળતી રકમ પહેલાની સરખામણીએ આશરે 20 થી 30 ટકા સુધી વધારે મળી શકે છે. આથી ગ્રેચ્યુઇટી હવે માત્ર એક સામાન્ય લાભ નહીં પરંતુ ભવિષ્ય માટે મજબૂત આર્થિક આધાર બની રહી છે. ખાસ કરીને લાંબા ગાળાની સેવા આપનાર કર્મચારીઓ માટે આ બદલાવ વધુ લાભદાયી સાબિત થશે. જે તેમને નિવૃત્તિ પછી આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવશે.
ADVERTISEMENT
આ મુદ્દાને સરળ રીતે સમજીએ તો જો કોઈ કર્મચારીનો કુલ માસિક પગાર 50,000 હોય તો નવા નિયમો મુજબ તેનો બેઝિક સેલેરી ઓછામાં ઓછો 25000 ગણાશે. ગ્રેચ્યુઇટીની ગણતરી આ મૂળ પગારના આધારે કરવામાં આવે છે. એટલે કે દર વર્ષની નોકરી બદલ આશરે 15 દિવસના પગાર જેટલી રકમ ઉમેરાય છે. જો કર્મચારી એક વર્ષ પછી નોકરી છોડે છે તો તેને મળતી ગ્રેચ્યુઇટી અગાઉની સરખામણીએ વધુ રહેશે કારણ કે હવે બેઝિક સેલેરીમાં ફેરફાર કરીને વધારો કરવામાં આવ્યો છે. આ બદલાવને કારણે કર્મચારીઓને નિવૃત્તિ અથવા નોકરી છોડતી વખતે મળતી રકમમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ગ્રેચ્યુઇટીની ગણતરી માટે સામાન્ય રીતે સ્વીકારેલ સૂત્ર છે. (છેલ્લો પગાર × 15 × સેવાના વર્ષો) ÷ 26. જે કર્મચારીના અંતિમ મૂળ પગાર અને કુલ સેવા સમયગાળાના આધારે નક્કી થાય છે. આ સૂત્રને કારણે કર્મચારીઓને તેમની સેવા પ્રમાણે યોગ્ય નાણાકીય લાભ મળે છે. સાથે જ 2026 ના નવા નિયમોમાં ચુકવણી સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે કંપનીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે કર્મચારીના રાજીનામા અથવા બરતરફી બાદ માત્ર બે કાર્યકારી દિવસ (48 કલાક)ની અંદર સંપૂર્ણ અને અંતિમ સમાધાન પૂર્ણ કરવું પડશે. જોકે ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવા માટે અલગથી મહત્તમ 30 દિવસનો સમયગાળો માન્ય રાખવામાં આવ્યો છે, જેથી કર્મચારીઓને સમયસર તેમના હક્કનો લાભ મળી શકે.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.