ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દેશભરમાં BSNL 4Gના લાગશે 18,685 નવા ટાવર, ‘મેડ ઈન ઈન્ડિયા’ ટેક્નોલોજીથી મળશે ફાસ્ટ નેટવર્ક
5 ફોટો ગેલેરી
Last Updated: 06:56 PM, 28 August 2026
1/5
સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ હવે પોતાના 4G નેટવર્કને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા તૈયાર છે. ટીસીએસ અને તેજસ નેટવર્ક્સની ભાગીદારીમાં કંપની દેશભરમાં લગભગ 18,685 નવા ટાવર ઊભા કરશે. આ વિકાસની સૌથી મોટી વાત એ છે કે આખું નેટવર્ક સંપૂર્ણપણે સ્વદેશી છે – ‘મેડ ઇન ઇન્ડિયા’ ટેક્નોલોજી પર આધારિત. તેજસ નેટવર્ક્સને આ 4G નેટવર્ક માટે જરૂરી રેડિયો એક્સેસ નેટવર્ક સાધનો અને અન્ય એક્સેસરીઝ પૂરા પાડવાનો ઓર્ડર મળી ચૂક્યો છે.
2/5
ADVERTISEMENT
3/5
4/5
તાજેતરમાં એરટેલ અને જિયોએ ઘણા સસ્તા રિચાર્જ પ્લાન બંધ કરી દીધા છે અને પ્રીપેડ રિચાર્જ મોંઘા થઈ ગયા છે. આને કારણે લોકો સોશિયલ મીડિયા પર બીએસએનએલ તરફ વળવાની વાત કરી રહ્યા છે. જો કંપની પોતાનું નેટવર્ક વધુ સારું અને વિશાળ બનાવે તો તેને ખરેખર મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે બીએસએનએલના પ્લાન હજુ પણ પ્રમાણમાં સસ્તા છે.
ADVERTISEMENT
5/5
સપ્ટેમ્બરમાં બીએસએનએલ 4Gને એક વર્ષ પૂર્ણ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2025ના રોજ આ નેટવર્કની સત્તાવાર શરૂઆત કરી હતી. ત્યારથી જ 5G સેવાઓની અપેક્ષા રહી છે. કંપનીએ પણ કહ્યું છે કે તે દિલ્હી અને મુંબઈથી 5G સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. નવા 18,685 ટાવર લગાવાથી નેટવર્ક ઘણા વધુ લોકો સુધી પહોંચશે. અત્યારે ફાઇનલ ઓર્ડર મળી ગયો છે, પરંતુ આ કામ ક્યારે પૂરું થશે તેની હજુ સ્પષ્ટ માહિતી મળી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ