લગ્નમાં દરેક જગ્યાએ અલગ અલગ રીત-રિવાજો હોય છે, જેનું મનેકમને પણ પાલન કરવું પડતું હોય છે. દરેક ધર્મના લોકો પોત-પોતાના નિયમો મુજબ તેનું આયોજન કરે છે, જેની સાથે તેનું પાલન કરતા હોય છે. જો કે, અમુક રિવાજોને લઈ લોકોમાં અંધવિશ્વાસ પણ હોય છે, કે જો આ રિવાજનું પાલન ન કર્યું તો, નવવિવાહિત દંપતીનું જીવન મુશ્કેલમાં મુકાઈ જશે.
વર-વધૂને લગ્નના ત્રણ દિવસ બાદ એકબીજાને શૌચાલયમાં જવા દેતા નથી
આ રિવાજ ઈંડોનેશિયાના ટ્વોંગ સમુદાયમાં ઘણો પ્રચલિત છે
નવવિવાહિત દંપતીઓ પર ખાવા-પીવાનો પણ પ્રતિબંધ લગાવે છે
જયારે અમુક દેશના કાયદા તો એવા છે કે, તેને જોઈ આપણને પણ નવાઈ લાગે. આવો જ એક રિવાજ ઈંડોનેશિયામાં છે, જયાં વરરાજા અને નવવધૂને લગ્ન કર્યા બાદ ત્રણ દિવસ સુધી શૌચાલયમાં જવાનું હોતું નથી. કહો કે, તેને બળજબરીપૂર્વક શૌચાલયમાં જવા દેવાતા નથી. આ રિવાજને સાંભળી તમને અજીબ લાગે, પણ ઈંડોનેશિયામાં લોકો આ રિવાજને એકદમ સખ્તાઈ સાથે નિભાવી રહ્યા છે.
આ રિવાજ ઈંડોનેશિયાના ટ્વોંગ સમુદાયમાં ઘણો પ્રચલિત છે. આ રિવાજ મુજબ વર-વધૂને લગ્નના ત્રણ દિવસ બાદ એકબીજાને શૌચાલયમાં જવા દેતા નથી. આ પ્રથાને તોડવી, તેમની સભ્યતા વિરુદ્ધ અપમાન મનાય છે. ટોંડ સમુદાયના લોકો માને છે કે, લગ્ન એક પવિત્ર બંધન છે. શૌચાલયમાં જવાથી લગ્નની પવિત્રતા ખતમ થઈ જાય છે, જેથી વર-વધૂ અપવિત્ર થાય છે.
તેઓ એવું પણ માને છે કે, એક જ શૌચાલય કેટલાય લોકો વાપરતા હોવાથી તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે. ત્યારે આવા સમયે જો નવવિવાહિત દંપતી પણ આ શૌચાલયનો ઉપયોગ કરે છે, તો તેમનામાં પણ નકારાત્મકતા આવી જાય છે, આગળ જતાં આ સંબંધ તૂટી જાય છે. તેથી નવવિવાહિત આ દંપતીઓ પર ખાવા-પીવાનો પણ પ્રતિબંધ લગાવે છે.