બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જયારે અમુક દેશના કાયદા તો એવા છે કે, તેને જોઈ આપણને પણ નવાઈ લાગે. આવો જ એક રિવાજ ઈંડોનેશિયામાં છે, જયાં વરરાજા અને નવવધૂને લગ્ન કર્યા બાદ ત્રણ દિવસ સુધી શૌચાલયમાં જવાનું હોતું નથી. કહો કે, તેને બળજબરીપૂર્વક શૌચાલયમાં જવા દેવાતા નથી. આ રિવાજને સાંભળી તમને અજીબ લાગે, પણ ઈંડોનેશિયામાં લોકો આ રિવાજને એકદમ સખ્તાઈ સાથે નિભાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ રિવાજ ઈંડોનેશિયાના ટ્વોંગ સમુદાયમાં ઘણો પ્રચલિત છે. આ રિવાજ મુજબ વર-વધૂને લગ્નના ત્રણ દિવસ બાદ એકબીજાને શૌચાલયમાં જવા દેતા નથી. આ પ્રથાને તોડવી, તેમની સભ્યતા વિરુદ્ધ અપમાન મનાય છે. ટોંડ સમુદાયના લોકો માને છે કે, લગ્ન એક પવિત્ર બંધન છે. શૌચાલયમાં જવાથી લગ્નની પવિત્રતા ખતમ થઈ જાય છે, જેથી વર-વધૂ અપવિત્ર થાય છે.
ADVERTISEMENT
તેઓ એવું પણ માને છે કે, એક જ શૌચાલય કેટલાય લોકો વાપરતા હોવાથી તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે. ત્યારે આવા સમયે જો નવવિવાહિત દંપતી પણ આ શૌચાલયનો ઉપયોગ કરે છે, તો તેમનામાં પણ નકારાત્મકતા આવી જાય છે, આગળ જતાં આ સંબંધ તૂટી જાય છે. તેથી નવવિવાહિત આ દંપતીઓ પર ખાવા-પીવાનો પણ પ્રતિબંધ લગાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.