રાજ્ય સરકારે આજે સવારે જ ગુજરાતમાં ભારે વરસાદને લઈ 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કર્યા બાદ ખેડૂતલક્ષી મોટો નિર્ણય કર્યો
સરકારે પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા
જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરાયા
વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાના થશે સર્વે
રાજ્યભરમાં ભારે વરસાદ બાદ હવે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પાક નુકશાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે આજે સવારે જ ગુજરાતમાં ભારે વરસાદને લઈ 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે, જે બાદમાં આજે ફરી એક વાર મોટો નિર્ણય લઈ પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે.
અસરગ્રસ્ત જિલ્લામાં થશે પાક નુકસાનીનો સર્વે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઠેર-ઠેર વરસાદી પાણી અને ક્યાંક પૂરના કારણે કૃષિ પાકોને મોટું નુક્શાન થયું છે. જેને લઈ હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી છે. સરકારે આજે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે રિપોર્ટ તૈયાર કરવા સૂચનો આપ્યા છે.
રાજ્ય સરકારે 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી
રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. નગરોમાં વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે. આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.
રાજ્યમાં અતિભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની 156 નગરપાલિકાઓને સાફ-સફાઈ, દવાનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે કુલ ₹17.10 કરોડની સહાયની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ જાહેરાત