ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચે નિર્ણય સંભળાવતાં કહ્યું કે સ્કૂલમાં અનુશાસન જાળવી રાખવા માટે કોઈપણ બાળકને વઢવું કે તેને યોગ્ય સજા આપવી અપરાધ નથી. કોર્ટે એક પ્રાથમિક સ્કૂલ શિક્ષકની સજાનાં આદેશને પલટતાં આ નિર્ણય જાહેર કર્યો હતો. આ શિક્ષક પર સ્કૂલનાં 2 બાળકો પર લાકડીથી માર માર્યાનો આરોપ લાગેલ હતો જેના માટે તેને એક દિવસની જેલ અને એક લાખ રૂપિયાનાં દંડની સજા સંભળાવવામાં આવી હતી.
ADVERTISEMENT
'આ કોઈ અપરાધ નથી.'
મામલાની સુનાવણી કરતાં ભરત દેશપાંડેની સર્વોચ્ચ ન્યાયાલયની એકલ ન્યાયાધીશ પીઠે નિર્ણય સંભળાવ્યો. તેમણે કહ્યું કે, 'પ્રાથમિક વિદ્યાલયમાં આ ઘટના સામાન્ય છે. છાત્રોને અનુશાસિત કરવા અને સારી આદતોને વિકસિત કરવા માટે શિક્ષકોને ક્યારેક સખ્તાઈ દર્શાવવી પડે છે. આ કોઈ અપરાધ નથી.'
'સ્કૂલનો ઉદેશ્ય માત્ર એકેડેમિક વિષયોને ભણાવવું નથી'
કોર્ટે કહ્યું કે, 'છાત્રોને શાળાએ એટલા માટે મોકલવામાં આવે છે જેથી તે શિક્ષણની સાથે જ જીવનનાં અન્ય પાસાંઓનાં વિશે પણ જાણી શકે-સમજી શકે જેમાંથી એક અનુશાસન પણ છે. સ્કૂલનો ઉદેશ્ય માત્ર એકેડેમિક વિષયોને ભણાવવું નથી પરંતુ છાત્રોનાં જીવનનાં તમામ પાસાંઓને તૈયાર કરવાનું છે જેથી ભવિષ્યમાં તે સારા વ્યવહાર અને પ્રકૃતિનો વ્યક્તિ બની શકે. '
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
આ ઘટના 2014ની છે જેમાં શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે બે બહેનોને પીટ્યું છે જેમાંથી એક પાંચ વર્ષની અને બીજી 8 વર્ષની હતી. નાની બહેન પોતાની બોટલનું પાણી પૂરું કર્યાં બાદ ક્લાસની બીજી છોકરીઓની બોટલમાંથી પાણી પી લીધું હતું. તેના બાદ મોટી બહેન બીજી ક્લાસમાંથી તેને જોવા માટે આવી હતી અને તેના લીધે શિક્ષકે બંનેને સ્કેલથી માર્યું હતું.
શિક્ષકોનું સમાજમાં સૌથી વધુ માન
કોર્ટે કહ્યું કે 'શિક્ષકોને સમાજમાં સૌથી વધુ સમ્માન આપવામાં આવે છે. તે આપણી શિક્ષા પ્રણાલી છે. જો શિક્ષકનાં મનમાં કોઈ આવા તુચ્છ મામલા માટે અને વિશિષ્ટરૂપે બાળકોને સાચીરીતે અનુશાસન શિખવાડતા સમયે આરોપોનો ભય રહેશે તો સ્કૂલોને સંચાલિત કરવું અને યોગ્ય શિક્ષાની સાથે અનુશાસનને જાળવી રાખવું મુશ્કેલ થશે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો