બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ત્રીજી ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ હિન્દી હાર્ટલેન્ડના ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરી. જોકે આજે એક સપ્તાહ પૂર્ણ થયા બાદ પણ નવા મુખ્યમંત્રીઓના નામનું એલાન કરવામાં આવ્યું નથી. એવામાં આજે સસ્પેન્સ ખતમ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે ત્રણમાંથી એક રાજ્યના નવા CMનું એલાન આજે કરી દેવામાં આવશે.
આજે જ થશે એલાન
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આજે નવા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક કરવામાં આવશે જેમાં ઑબ્ઝર્વર્સ દ્વારા નવા નામનું એલાન કરી દેવામાં આવશે. દિલ્હીથી બે મોટા સર્વાનંદ સોનોવાલ તથા અર્જુન મુંડાને ઑબ્ઝર્વર તરીકે રાયપુર મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કયા નેતાઓ છે રેસમાં ?
આ બેઠકમાં ઓમ માથુર, મનસુખ માંડવિયા, નીતિન નબીન, અરુણ સાવ અને ડૉક્ટર રમણ સિંહ પણ ઉપસ્થિત રહેશે. પાર્ટીના સૂત્રો અનુસાર છત્તીસગઢમાં ભાજપ આદિવાસી અથવા ઓબીસી નેતાને રાજ્યની કમાન સોંપી શકે છ. અરુણ સાવ અને ઓપી ચૌધરી રાજ્યના ઓબીસી નેતા છે થતાં વિષ્ણુદેવરાય તથા રેણુકા સીન સિંહ દિગ્ગજ આદિવાસી નેતા છે.
નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગડની ચૂંટણીમાં 54 બેઠકો સાથે પ્રચંડ જીત હાંસલ કરી હતી જ્યારે કોંગ્રેસ 34 બેઠકો પર સમેટાઇ ગઈ.
ADVERTISEMENT
રાજસ્થાનમાં શું છે અપડેટ?
રાજનીતિની ગલીઓમાં એવી ચર્ચા છે કે ભાજપ તરફથી મુખ્યમંત્રીના નામની ઘોષણાના આ વિલંબનું એક કારણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાજિક અને રાજકીય ગણિત વિશે જાણવાનું પણ છે. એવામાં પાર્ટી રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી CM પણ બનાવી શકે છે. હવે અંહિયા ગણિત વિશે વાત કરીએ તો આ ત્રણેય પદો પર રાજપૂત, બ્રાહ્મણ, મીણા અને જાટ સમુદાયના નેતાઓની નિમણૂક કરીને આ સમુદાયોને ભાજપ સાથે જોડાયેલા રાખી શકે છે. આ સાથે જ પાર્ટી સ્પીકર તરીકે કોઈ દલિત મહિલા ધારાસભ્યને તક આપીને આ વર્ગને રીઝવવાના પ્રયાસો પણ કરી શકે છે.
કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ નામ જાહેર કરવામાં આવશે
કહેવાય રહ્યું છે કે આ બધા પાછળ ભાજપનો ઇરાદો એવો છે કે પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બધા જ સમુદાયોના લોકોને મહત્વપૂર્ણ પદો પર બેસાડીને આવનાર ચૂંટણીમાં એમના વોટ મેળવી શકે. આ સાથે જ એવી પણ વાત ચાલી રહી છે કે ભાજપના નેતાઓ આ વ્યૂહરચના અંગે ચર્ચા કરી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ જ તેને આગળ વધારવામાં આવશે. એકવાર મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જાય પછી નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરને લઈને આ રણનીતિને આગળ વધારી શકાય છે.
ADVERTISEMENT
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સમયથી ભાજપ પર વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા તેમના સમુદાયમાંથી આવતા નેતાઓને તેમની જ્ઞાતિ-સમુદાયની સંખ્યા અનુસાર ઉમેદવાર બનાવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે પરિણામો બાદ પણ આ દબાણ યથાવત છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી આ બમ્પર જીતનો લાભ લેવા માટે ભાજપ પણ તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.