નવા મંત્રી મંડળની રચના પછી સાંસદ મનસુખ વસાવાની સામે આવી નારાજગી. કહ્યું.પહેલા જેવો નથી રહ્યો પક્ષ.માત્ર લોબિંગ સીસ્ટમ જ ચાલે છે.
સાંસદ મનસુખ વસાવા ફરી નારાજ
નવા મંત્રી મંડળથી વસાવાની નારાજગી
ભાજપામાં ચાલે છે લોબિંગ સીસ્ટમ -વસાવા
ગુજરાતમાં નવા સરદાર અને તેમની નવી સરકારનું ગઠન થઇ ગયું છે. ભારે સસ્પેન્સ અને થ્રીલર જેવી ઘટનાઓ સામે આવી. બુધવારે મંત્રી મંડળનો થનારો શપથવિધિ અચાનક જ ગુરુવાર પર ઠેલાયો.પણ એ નક્કી હતું કે,'નો રીપીટ થિયરી' મુજબ જ મંત્રી મંડળ રચાશે. આજે સવારે પણ શપથગ્રહણ પહેલા પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા નારાજ હતા. હવે સાંસદ મનસુખ વસાવાની નારાજગી સામે આવી છે.સાંસદ મનસુખભાઈ વસાવા નવા મંત્રી મંડળની રચનાથી નાખુશ છે
'નો રીપીટ' પર પાર્ટી અડીખમ
મંગળવારે જ્યારે વાયુવેગે ગુજરાતમાં વાત ફેલાઈ કે,એક પણ મંત્રીને રીપીટ કરવામાં નહિ આવે,એ પ્રમાણે મંત્રી મંડળનો શપથવિધિ થશે ત્યારે જ કેટલાક સમાજ અને સમૂહમાં નારાજગી પ્રવર્તી હતી. કેટલાક મંત્રીઓ પણ નારાજ હતા.આમ કોઈ પણની નારાજગીની નહિ સાંખી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોવડી મંડળે નવી નક્કોર ટીમ આપી છે.આમ છતાં સાંસદ મનસુખ વસાવાએ પાર્ટી પર તાતાતીર છોડ્યા છે.વસાવાએ કહ્યું કે, ભાજપ હવે પહેલા જેવો પક્ષ નથી રહ્યો.પાર્ટીમાં લોબિંગ સીસ્ટમ ચાલી રહી છે અને હું પાર્ટીના આ વલણથી નારાજ છું.
આગળ શું કયું હતું વસાવાએ ?
યાદ રહે કે, સાંસદ વસાવા નું હજુ સપ્તાહ પહેલા પણ ધારાસભ્યો અને સાંસદો માટે નિવેદન આવ્યું હતું.તેમને કહ્યું હતું કે,સાંસદો અને ધારાસભ્યો માત્ર લેબલ લગાવવા જ વિધાનસભા કે લોકસભામાં જાય છે.આદિવાસી સમાજોત્કર્ષનું કામ કોઈ નથી કરતુ.