બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બંગાળ બાદ અમિત શાહનું 'મિશન પંજાબ': એકલા હાથે લડશે ભાજપ, તમામ 117 બેઠકો માટે માસ્ટરપ્લાન તૈયાર!

રાજનીતિ / બંગાળ બાદ અમિત શાહનું 'મિશન પંજાબ': એકલા હાથે લડશે ભાજપ, તમામ 117 બેઠકો માટે માસ્ટરપ્લાન તૈયાર!

Pravin Joshi

Last Updated: 12:01 AM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ પછી હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબના રાજકીય મેદાનને સર કરવા માટે કમર કસી લીધી છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કર્યા વિના જ પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો મોટો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ બંગાળની રાજકીય લડાઈ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનું સંપૂર્ણ ધ્યાન પંજાબ પર કેન્દ્રિત કર્યું છે. પંજાબના રાજકારણમાં અત્યાર સુધી અકાલી દળના સહારે ચાલતી ભારતીય જનતા પાર્ટીએ હવે એક મોટો અને સાહસિક વળાંક લીધો છે. ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે પક્ષ હવે પંજાબમાં કોઈની પણ સાથે ગઠબંધન નહીં કરે અને રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો પર પોતાના સત્તાવાર ઉમેદવારો ઉભા રાખીને એકલા હાથે તાકાત બતાવશે. આ વ્યૂહરચનાને અમલી બનાવવા માટે ગૃહમંત્રી અમિત શાહ ચાલુ મહિને જ પંજાબ ભાજપના વરિષ્ઠ નેતાઓની એક મહત્વની બેઠક બોલાવવા જઈ રહ્યા છે. આ બેઠકમાં પંજાબ ચૂંટણીના રોડમેપને આખરી ઓપ આપવામાં આવશે અને રાજ્યની સૌથી મોટી સમસ્યા સમાન નશાની પ્રવૃત્તિ વિરૂદ્ધ ભાજપ દ્વારા કાઢવામાં આવનારી 'ડ્રગ્સ વિરોધી યાત્રા'ના રૂટ અને પ્લાનિંગને ફાઇનલ કરવામાં આવશે.

Amit-Shah-In-Gujarat

રવનીત સિંહ બિટ્ટુ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપશે

પંજાબના રાજકારણ સાથે જોડાયેલા એક મોટા સમાચાર એ છે કે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુનો રાજ્યસભાનો કાર્યકાળ આગામી 21 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડે તેમને ફરીથી રાજ્યસભામાં ન મોકલવાનો મોટો નીતિગત નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવનીત બિટ્ટુ 21 જૂન પહેલા જ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી પોતાનું સત્તાવાર રાજીનામું આપી દેશે. રાજીનામું આપ્યા બાદ પક્ષ તેમને સંપૂર્ણપણે પંજાબના સ્થાનિક રાજકારણમાં સક્રિય કરશે અને તેઓ આગામી વિધાનસભા ચૂંટણી પણ લડશે તેવી પૂરેપૂરી સંભાવના છે. જો કે, આ ચૂંટણીમાં પક્ષ હાઈકમાન્ડ કોઈ પણ નેતાને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરશે નહીં અને પક્ષ સામૂહિક નેતૃત્વ હેઠળ જ ચૂંટણી લડશે.

Amit-Shah-statement

ખેડૂતોના ઘર સુધી પહોંચવા અભિયાન અને નારાજ નેતાઓની સમજાવટ

પંજાબમાં સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા માટે ભાજપે પાયાના સ્તરે કામ શરૂ કર્યું છે. પક્ષે સીધા ગામડાઓ અને ખેડૂતોના ઘરો સુધી પહોંચવા માટે એક ખાસ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત બૂથ સ્તર પર 'પન્ના પ્રમુખ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં પન્ના પ્રમુખોની નિમણૂક અને તેમને ખાસ રાજકીય તાલીમ આપવાનો સમાવેશ થાય છે. બીજી તરફ, પક્ષ આંતરિક અસંતોષને ડામવા માટે પણ સક્રિય બન્યો છે. કેવલ સિંહ ધિલ્લોનને અધ્યક્ષ બનાવવાથી નારાજ ચાલી રહેલા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દિલ્હી આવીને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જે બાદ તેમણે પોતાની નારાજગીના અહેવાલોને સત્તાવાર રીતે ફગાવી દીધા છે. જો કે, પક્ષના મહાસચિવ ડૉ. જગમોહન રાજુ હજુ પણ નારાજ છે અને તેમણે રાજીનામું આપી દીધું છે, જેમને મનાવવા માટે પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ સતત વાતચીત કરી રહ્યું છે.

લોકસભા ચૂંટણીના આ આંકડાઓએ વધાર્યો ભાજપનો ઉત્સાહ

જો કે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ પંજાબમાં એક પણ બેઠક જીતી શક્યો ન હતો, પરંતુ પક્ષને મળેલા વોટ શેરે રણનીતિકારોનો ઉત્સાહ બેગણો કરી દીધો છે. ગત ચૂંટણીમાં ભાજપને પંજાબમાં રેકોર્ડ 18.56% વોટ મળ્યા હતા. આ ચૂંટણીના વિધાનસભા વાઇઝ આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો ભાજપ પંજાબની 23 વિધાનસભા બેઠકો પર મતોની દ્રષ્ટિએ 1લા નંબરે રહ્યો હતો. 5 બેઠકો પર ભાજપનો પરાજય માત્ર 5000 કરતાં પણ ઓછા મતોથી થયો હતો જ્યારે 10 બેઠકો પર હારનો તફાવત 10000 મતોથી ઓછો હતો. આ રીતે, રાજ્યની કુલ 117 બેઠકોમાંથી 38 બેઠકો પર ભાજપે પોતાની પ્રચંડ અને મજબૂત હાજરી નોંધાવી ચૂક્યું છે. પંજાબમાં બહુમત માટે 59 બેઠકોની જરૂર હોય છે અને ભાજપ આ જાદુઈ આંકડાથી માત્ર 21 બેઠક દૂર છે. ભાજપના રણનીતિકારોને આ જ આંકડાઓમાં પોતાની જીતની મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ નેશનલ / સરકારે લઈ લીધું આ પગલું નહીંતર પેટ્રોલ-ડીઝલ હજુ વધુ મોંઘા થઈ ગયા હોત

ગામડાઓ અને પિંડો પર વિશેષ ફોકસ

ભાજપના મોનિટરિંગ સેલનું માનવું છે કે પંજાબના શહેરી વિસ્તારોમાં તો પક્ષની પકડ ખૂબ જ મજબૂત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારો અને પંજાબના પિંડોમાં હજુ પણ પક્ષની સ્થિતિ નબળી છે. આથી જ અમિત શાહે કાર્યકર્તાઓને ગ્રામીણ વિસ્તારોમાં જઈને પાયો મજબૂત કરવા કડક આદેશ આપ્યા છે. આ ઉપરાંત પંજાબમાં આગામી સમયમાં થનારા ચતુષ્કોણીય મુકાબલાનો સીધો ફાયદો પણ ભાજપને મળી શકે છે, કારણ કે આવા બહુકોણીય મુકાબલામાં જીત-હારનો તફાવત બહુ ઓછો હોય છે અને ભાજપ પોતાનો જનાધાર વધારીને સત્તાની નજીક પહોંચી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PunjabPolitics AmitShah MissionPunjab2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ