પીપીએફ ખાતાધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા ICAI દ્વારા નાણામંત્રીને બજેટ પહેલા સૂચન આપવામાં આવ્યા છે. જેથી હવે પીપીએફમાં રોકાણની સંખ્યા દોઢ લાખની જગ્યાએ 3 લાખ થાય તેવી સંભવના છે.
ICAI દ્વારા નાણામંત્રીને બજેટ પહેલા સૂચન આપવામાં આવ્યા
વર્ષ 2022 અને 2023નું બજેટ રજૂ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે સ્ટેકહોલ્ડર્સથી લઈને રાજ્યના નાણા મંત્રીઓએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણને બજેટને લઈને તેમના થોડાક સૂચન આપ્યા છે. ત્યારે ચાર્ટર એકાઉન્ટેન્ટ સંસ્થા આઈસીએઆઈ દ્વારા પણ નાણામંત્રીને તેમના સૂચન આપવામાં આવ્યા છે.
ટેક્સપેયર્સ માટે સૌથી સુરક્ષિત સ્કિમ
ICAI આપેલા સૂચનો પ્રમાણે PPFમાં રોકાણની સંખ્યા હવે દોઢ લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવા કહેવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે પીપીએફ ડિપોઝિટ સ્કીમમાં નિવેશની લિમિટ વધારવી ઘણીજ જરૂરી છે. કારણકે ટેક્સપેયર્સ માટે આ એક સૌથી સુરક્ષીત અને યોગ્ય રિટર્ન આપવા વાળી સ્કિમ છે.
પીપીએફમાં રોકાણ વધવાથી GDP ગ્રોથ વધશે
છેલ્લા ઘણા વર્ષોથી પીપીએફમાં રોકાણની રકમમાં વધારો કરવામાં નથી આવ્યો કે ન તો કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો છે. જેથી ICAIના કહેવા પ્રમાણે પીપીએફમાં રોકાણની સંખ્યા વધારવાથી જીડીપી ગ્રોથ પણ વઘશે. સાથેજ લોકોને પણ ઘણો ફાયદો મળી રહેશે.
20 વર્ષે 1.33 કરોડ મળશે
આપને જણાવી દઈએ કે જો 20 વર્ષ સુધી કોઈ પણ રોકાણકાર પીપીએફમાં 3 લાખ રૂપિયા ભરશે તો 20 વર્શ બાદ તેને 1.33 કરોડ રૂપિયા રિટર્ન મળશે. હાલ સરકાર દ્વારા પીપીએફ પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવે છે. સાથેજ સરકાર દ્વારા તે વ્યાજની ગેરંટી પણ આપવામાં આવે છે.