બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / BAPS Hindu Mandir UAE President was ready in a second for Swaminarayan Temple

BAPS Hindu Mandir / તમે જે જમીન કહેશો એ આપી દઇશ: સ્વામિનારાયણ મંદિર માટે એક સેકન્ડમાં જ તૈયાર થઈ ગયા હતા UAEના રાષ્ટ્રપતિ

Megha

Last Updated: 02:47 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ અહીં કહ્યું કે તેઓ 2015માં પહેલીવાર UAE ગયા હતા અને પ્રિન્સ નાહયાનને અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો એ સમયે પ્રિન્સે તુરંત હા કહી દીધી હતી.

  • PM મોદી 13 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા.
  • ગઈકાલે 'અહલાન મોદી' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
  • 2015માં અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ આ મંદિર નિર્માણ કર્યું છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભારતીય સમય પ્રમાણે સવારે 8:45 પછી શરૂ થઈ હતી અને સંધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50 દરમિયાન યોજાશે.  

PM મોદી 13 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. સાથે જ એમને ગઈકાલે 'અહલાન મોદી' નામના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. PM મોદીએ અહીં કહ્યું કે તેઓ વડાપ્રધાન બન્યાના થોડા સમય બાદ 2015માં પહેલીવાર UAE ગયા હતા અને પ્રિન્સ નાહયાનને અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, એ સમયે પ્રિન્સે એક ક્ષણ પણ બગાડ્યા વિના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો હતો. 

આ વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, 'અલ નાહયાન કેટલા સંવેદનશીલ છે એ મને કોરોના દરમિયાન ખબર પડી હતી. કોવિડ દરમિયાન, મેં કહ્યું કે હું ભારતીયોને પાછા બોલાવીશ અને તેઓએ કહ્યું કે તેઓએ બિલકુલ ચિંતા ન કરવી જોઈએ. તેમનો આ અનંત પ્રેમ દરેક ક્ષણે યાદ રહેશે. 2015 માં, જ્યારે તમે બધાએ તેને અબુ ધાબીમાં મંદિરનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેણે તરત જ તેના માટે હા પાડી. તેમણે એમ પણ કહ્યું કે તમે જે જમીન પર આંગળી મુકશો એ જમીન હું આપીશ અને હવે અબુધાબીમાં ભવ્ય મંદિરના ઉદ્ઘાટનનો સમય આવી ગયો છે.' 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે સાંજે અબુધાબીમાં 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરમાં સવારથી જ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે. તેની કિંમત 700 કરોડ રૂપિયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ