બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha Pataleshwar Mahadev Shivling 51 feet deep from the ground

દેવ દર્શન / ગુજરાતમાં બિરાજમાન છે પાતાળેશ્વર મહાદેવ, શિવલિંગ જમીનથી 51 ફૂટ ઊંડે, ગર્ભબંધનની કથા સાક્ષી

Dinesh

Last Updated: 07:19 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

banaskantha news: બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત કે આંતર રાજ્યોમાંથી આવતા લોકો પાલનપુરમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરને નિહાળી ભગવાન ભોલેનાથના દર્શન કરવા અવશ્ય પધારે છે

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલું એક એવુ પૌરાણિક મંદિર જેનો ઇતિહાસ ફક્ત પાલનપુર કે બનાસકાંઠા જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં વિખ્યાત છે.મંદિરની મહત્વતા એવી છે કે આ મંદિરમાં શિવલિંગ રૂપી ભગવાન ભોળાનાથ જમીનથી 51 ફૂટ ઊંડે બિરાજે છે તો આ મંદિરનું શિખર જમીનથી 51 ફૂટ ઉપર છે.મંદિરનું શિવલિંગ જમીનથી નીચે પાતાળમાં આવેલું હોવાથી આ મંદિર પાતાળેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. 

પાલનપુરમાં બિરાજમાન પાતાળેશ્વર મહાદેવ

પાલનપુરનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક છે.મંદિરમાં શિવલિંગ જમીનથી ખુબજ નીચે પાતાળમાં આવેલું છે.એટલે મંદિરનુ નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે.51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું આ એક માત્ર મંદિર છે. પાટણના રાજા કરણસિંહની રાણી મીનળદેવીને સંતાન રહેતું ન હતુ. એટલે રાજાએ બીજા લગ્ન કર્યા.યોગાનુયોગે મીનળદેવીને થોડા દિવસોમાં જ ગર્ભાધાન રહ્યું.ત્યારે નવી રાણીને આ ગમ્યું નહિ એટલે તે રાણીએ એક તાંત્રિક પાસે ગઈ અને તાંત્રિકે માટલીમાં દેડકાને પૂરી મીનળદેવીના ગર્ભનું બંધન કર્યુ.નવ મહિના બાદ મીનળદેવીની પ્રસુતિ ના થતા મીનળદેવી જાત્રાએ નીક્ળ્યા ત્યારે રસ્તામાં તપસ્વી સાધુએ મીનળદેવીને બોલાવ્યા અને સાધુ મહાત્માએ પોતાની શક્તિથી સમગ્ર વાત જાણી તેમને રોકી લીધા.

1980માં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો 

વાવ ખોદાવવાનું શરૂ કરતાં પાતાળમાંથી શિવલિંગ મળી આવ્યું એટલે મીનળદેવીએ શિવલિંગની પૂજા કરી અને રાજાને મંદિર બનાવવા કહ્યું. અને ત્યારે પાતાળેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ થયું.પાલનપુરના નગરદેવ પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા દૂરદૂરથી ભાવિક ભક્તો આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળતી હોવાની પણ લોક વાયકા છે..જે સુરંગ વર્ષો પહેલા બંધ કરી દેવાઈ છે. 1980માં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. વર્ષો પૌરાણિક પાતાળેશ્વર મહાદેવ મંદિરની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે.
    પાતાળેશ્વર મંદિરના દર્શનથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે.શિવના નામથી જ આત્માને તૃપ્તિ મળી જાય છે.ભક્તો દૂરદૂરથી આવીને શિવની પૂજા કરીને બીલીપત્ર ચડાવી શિવની કૃપા મેળવે છે.જેના થકી ભગવાન શિવ તેમના ઉપર હંમેશા માટે કૃપામાન રહે છે. પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં સવાર સાંજ રોજ આરતી સમયે મંદિર અને આજુબાજુનુ વાતાવરણ ભક્તિમય બની જાય છે.

વાંચવા જેવું: પૂજામાં વપરાતું કપૂર સ્વાસ્થ માટે પણ ફાયદાકારક, તેને સૂંઘવાથી અનેક સમસ્યા થશે દૂર

પૌરાણિક ઈતિહાસ ધરાવતું મંદિર

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત કે આંતર રાજ્યોમાંથી આવતા લોકો પાલનપુરમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરને નિહાળી ભગવાન ભોલેનાથના દર્શન કરવા અવશ્ય પધારે છે અને શ્રાવણ માસમાં તો મહાદેવના દર્શન કરવા મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. 12મી સદીના અંતમાં અને ૧૩મી સદીની શરુઆતમાં બંધાયેલા પાતાળેશ્વર મહાદેવના અતિ પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવી મહાદેવના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે. અને ભગવાન ભોળાનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં શિવાલયો આવેલા છે પણ તમામ શિવાલયોમાં પાતાળેશ્વર મહાદેવ જિલ્લાના મુખ્યમથક પાલનપુર જિલ્લાની મધ્યમાં આવેલું છે અને પૌરાણિક ઈતિહાસ ધરાવતું મંદિર છે જેને લઈ આ મંદિર જિલ્લાના મુખ્યમથક પાલનપુરના જોવાલાયક સ્થળોમાનું પણ એક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ