બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 08:53 AM, 5 May 2024
શિવ ભક્તો આખું વર્ષ જેની રાહ જોતા હોય છે, એવી અમરનાથ યાત્રા આ વર્ષે 29 જૂનથી શરૂ થઈ રહી છે. પરંતુ આજે યાત્રા શરૂ થતા પહેલા જ બાબા બર્ફાનીના દર્શન કરાવી દઈએ. ખરેખર, વર્ષ 2024ની બાબા બર્ફાનીની આ પહેલી તસવીર અને વીડિયો સામે આવ્યા છે. કેટલાક શિવભક્તો લગભગ 5 દિવસ પહેલા ગુફા પર જઈને બાબા બર્ફાનીના દર્શન કર્યા અને તેમની સાથે આ તસવીર પણ લઈને આવ્યા. અમરનાથ ગુફાના બંને રસ્તાઓ પર હજુ પણ ઓછામાં ઓછો 5 થી 7 ફૂટ બરફ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ખરાબ હવામાન અને અમરનાથ યાત્રાના બંને માર્ગો પર ભારે બરફના કારણે હજુ સુધી શ્રાઈન બોર્ડના કોઈ પણ અધિકારી ગુફા સુધી પહોંચી શક્યા નથી અને ન તો કોઈ હવાઈ સર્વે થઈ શક્યો છે.
આ વર્ષની અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે અને 19 ઓગસ્ટ રક્ષાબંધન સુધી ચાલશે. લગભગ 50 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. કોઈપણ ભક્ત જે આ યાત્રા પર જવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ https://jksasb.nic.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
Official Date declared : Amarnath Yatra 2024 from 29th June to 19th August. Advance registrstion from 15th April 2024 . https://t.co/WJV2sr9v7o #AmarnathYatra2024 #AmarnathYatra
— amarnath yatra (@amarnathjiyatra) April 8, 2024
વર્ષમાં એક જ વખત થનારી અમરનાથ યાત્રા બે રૂટથી થાય છે. પહેલો માર્ગ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબા નુનવાન-પહલગામ માર્ગ દ્વારા છે અને બીજો માર્ગ ગાંદરબલ જિલ્લામાં 14 કિમી ટૂંકા અને સાંકડા બાલટાલ માર્ગ દ્વારા છે. આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના સંયુક્ત સહયોગથી કરવામાં આવે છે.
વધુ વાંચો: રાજસ્થાન થઇ જશે માલામાલ! આ જગ્યાએથી મળી આવ્યો સોનાનો અખૂટ ભંડાર? તપાસ શરૂ
પૌરાણિક કથાઓ અનુસાર, આ પવિત્ર ગુફામાં જ ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય સંભળાવ્યું હતું. સાથે જ તેને 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે અહીં કોઈ ચોક્કસ જગ્યાએ પડતા પાણીના ટીપામાંથી શિવલિંગની રચના થાય છે. જેના દર્શન કરવા માટે ભક્તો ઘણા કિલોમીટરની મુશ્કેલ યાત્રા કરીને બાબા બર્ફાની સુધી પહોંચે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / '...તો 6 મહિનામાં PoK ભારતનો ભાગ હશે' યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં કર્યો મોટો દાવો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT