બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી, જાણો અમરનાથ યાત્રાની તારીખ સહિતની તમામ વિગતો

અમરનાથ યાત્રા / બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી, જાણો અમરનાથ યાત્રાની તારીખ સહિતની તમામ વિગતો

Last Updated: 08:53 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024ની બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા બર્ફાની માતા પાર્વતી અને પુત્ર ગણેશ સાથે તેમના પૂર્ણ સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે.

શિવ ભક્તો આખું વર્ષ જેની રાહ જોતા હોય છે, એવી અમરનાથ યાત્રા આ વર્ષે 29 જૂનથી શરૂ થઈ રહી છે. પરંતુ આજે યાત્રા શરૂ થતા પહેલા જ બાબા બર્ફાનીના દર્શન કરાવી દઈએ. ખરેખર, વર્ષ 2024ની બાબા બર્ફાનીની આ પહેલી તસવીર અને વીડિયો સામે આવ્યા છે. કેટલાક શિવભક્તો લગભગ 5 દિવસ પહેલા ગુફા પર જઈને બાબા બર્ફાનીના દર્શન કર્યા અને તેમની સાથે આ તસવીર પણ લઈને આવ્યા. અમરનાથ ગુફાના બંને રસ્તાઓ પર હજુ પણ ઓછામાં ઓછો 5 થી 7 ફૂટ બરફ છે.

amarnath-2

ન થઈ શક્યો હવાઈ ​​સર્વે

ખરાબ હવામાન અને અમરનાથ યાત્રાના બંને માર્ગો પર ભારે બરફના કારણે હજુ સુધી શ્રાઈન બોર્ડના કોઈ પણ અધિકારી ગુફા સુધી પહોંચી શક્યા નથી અને ન તો કોઈ હવાઈ સર્વે થઈ શક્યો છે.

અત્યાર સુધીમાં 1.5 લાખ રજીસ્ટ્રેશન

આ વર્ષની અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે અને 19 ઓગસ્ટ રક્ષાબંધન સુધી ચાલશે. લગભગ 50 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. કોઈપણ ભક્ત જે આ યાત્રા પર જવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ https://jksasb.nic.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

વર્ષમાં એક જ વખત થનારી અમરનાથ યાત્રા બે રૂટથી થાય છે. પહેલો માર્ગ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબા નુનવાન-પહલગામ માર્ગ દ્વારા છે અને બીજો માર્ગ ગાંદરબલ જિલ્લામાં 14 કિમી ટૂંકા અને સાંકડા બાલટાલ માર્ગ દ્વારા છે. આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના સંયુક્ત સહયોગથી કરવામાં આવે છે.

વધુ વાંચો: રાજસ્થાન થઇ જશે માલામાલ! આ જગ્યાએથી મળી આવ્યો સોનાનો અખૂટ ભંડાર? તપાસ શરૂ

પાણીના ટીપાથી બંને છે બરફનું શિવલિંગ

પૌરાણિક કથાઓ અનુસાર, આ પવિત્ર ગુફામાં જ ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય સંભળાવ્યું હતું. સાથે જ તેને 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે અહીં કોઈ ચોક્કસ જગ્યાએ પડતા પાણીના ટીપામાંથી શિવલિંગની રચના થાય છે. જેના દર્શન કરવા માટે ભક્તો ઘણા કિલોમીટરની મુશ્કેલ યાત્રા કરીને બાબા બર્ફાની સુધી પહોંચે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ