બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Assembly Elections 2023 After defeat in three states, Congress high command asked for resignation of veteran leader

Assembly Elections 2023 / ત્રણ રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે દિગ્ગજ નેતાનું રાજીનામું માંગ્યું હોવાની ચર્ચા, ચૂંટણીમાં કામ ન આવી સોફ્ટ હિન્દુત્વની સ્ટ્રેટેજી

Megha

Last Updated: 08:53 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર કેન્દ્રીય હાઈકમાન્ડ એક્શન મોડમાં નજર આવી રહ્યું છે અને સોમવારે રાત્રે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કમલનાથ પાસેથી રાજીનામું માંગવાના સમાચાર સામે આવ્યા છે.

  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો
  • હાર બાદ કોંગ્રેસનું કેન્દ્રીય હાઈકમાન્ડ એક્શન મોડમાં નજર આવી રહ્યું છે
  • કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી કમલનાથને રાજીનામું આપવા માટે કહ્યું?

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે આવી ગયા હતા, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામો બાદ કોંગ્રેસનું કેન્દ્રીય હાઈકમાન્ડ એક્શન મોડમાં નજર આવી રહ્યું છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્રીય આલાકમાને સોમવારે રાત્રે એમપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી કમલનાથને રાજીનામું આપવા માટે કહ્યું હતું. જો કે આ વાતનો કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી. 

'Rahul Gandhi will be the prime ministerial candidate of the opposition in the next Lok Sabha elections', the statement of a...

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર માટે કામલનાથ જવાબદાર.. 
સોમવારે રાત્રે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કમલનાથ પાસેથી રાજીનામું માંગવાના સમાચાર આવવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર, હાઈકમાન્ડે કમલનાથને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા માટે કહ્યું છે. તેનું કારણ એ છે કે આ ચૂંટણીઓ દરમિયાન અને તેની પહેલા પણ પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને સંપૂર્ણ છૂટ આપી દીધી હતી અને તેઓ પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ રહ્યા હતા. તેથી આ હાર માટે કમલનાથને જવાબદાર ઠેરવીને તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.

કમલનાતેહ કહ્યું, 'આ માત્ર એક અફવા છે'
જ્યારે કમલનાથને આ સમાચારની સત્યતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે રાજીનામું માંગવાના સમાચારને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે "મને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું નથી, તે માત્ર એક અફવા છે અને મંગળવારે ભોપાલમાં તમામ ઉમેદવારો સાથેની અમારી બેઠક સમયપત્રક મુજબ થશે."

કમલનાથે આજે પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે
5 ડિસેમ્બરે એટલે કે આજે કમલનાથે ભોપાલમાં પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવવામાં આવી છે. જેમાં પાર્ટીની આ કારમી હારની સમીક્ષા કરવામાં આવશે અને દરેક સીટ પર હારના કારણોની ચર્ચા કરવામાં આવે તેવી પણ શક્યતા છે. પાર્ટીએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં 114 ધારાસભ્યો ચૂંટ્યા હતા, પરંતુ આ વખતે આ સંખ્યા ઘટીને માત્ર 66 રહી છે.

ચૂંટણી પરિણામ આવ્યા બાદ કમલનાથે હાર સ્વીકારી લીધી
ચૂંટણીના પરિણામો પછી પોતાની હાર સ્વીકારીને કમલનાથે ટ્વિટર પર લખ્યું કે “હું ચૂંટણી પરિણામોમાં મધ્યપ્રદેશના લોકોનો નિર્ણય સ્વીકારું છું. અમને વિપક્ષમાં બેસવાની જવાબદારી આપવામાં આવી છે અને અમે અમારી જવાબદારી નિભાવીશું. મધ્યપ્રદેશની સામે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મધ્યપ્રદેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત હોવું જોઈએ અને આપણા ખેડૂતો સમૃદ્ધ હોવા જોઈએ. હું ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે જનતાએ તેમનામાં જે વિશ્વાસ દર્શાવ્યો છે તે પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરશે.”

વધુ કમલનાથે લખ્યું “તમને બધાને યાદ હશે કે મેં ક્યારેય સીટોની જાહેરાત કરી નથી. હું હંમેશા કહેતો હતો કે મને મધ્યપ્રદેશના મતદારોમાં વિશ્વાસ છે અને આજે પણ હું કહીશ કે મને મધ્યપ્રદેશના મતદારોમાં વિશ્વાસ છે. હું તમામ પરાજિત ઉમેદવારો અને વિજેતા ધારાસભ્યો સાથે સમીક્ષા કરીશ કે શું કારણ હતું કે અમે મધ્યપ્રદેશના મતદારોને અમારી વાત સમજાવી શક્યા નથી.”
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ