કોરોના વાયરસના કારણે દેશભરમાં દરરોજ હજારોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. રાજધાની દિલ્હીની પરિસ્થિતિ સતત બગડી રહી છે ત્યાં દેશનાં કેટલાક રાજ્યો હેવ અનલોક-2ની તૈયારી કરી રહ્યા છે. જ્યાં અન્ય રાજ્યો વધુ છૂટછાટની તૈયારી કરી રહ્યા છે ત્યાં અસમનાં ગુવાહાટીમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 12 જુલાઈ સુધી રહેશે.
લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો : અસમના સ્વાસ્થ્ય મંત્રી
લોકડાઉનમાં કોઈ કરિયાણાકે શાકભાજી પણ નહીં મળે
વાહનો પર પ્રતિબંધ રહેશે અને પાસ ઇસ્યુ કરવામાં આવશે નહીં
લોકડાઉન 12 જુલાઈ સુધી ચાલશે
કોરોના વાયરસના કહેરના કારણે ગુવાહાટીમાં ફરીવાર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રવિવારની મધ્યરાત્રીથી આખા શહેરને સંપૂર્ણ લોકડાઉન કરી દેવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન 12 જુલાઈ સુધી ચાલશે
કોઈ પણ પ્રકારનાં પાસ આપવામાં આવશે નહીં
રાજ્ય સરકારના દિગ્ગજ મંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે આ દરમિયાન રાજ્યમાં દરેક વ્યવસાયિક અને ઔદ્યોગિક કારખાના બંધ રહેશે. કોઈ પણ સાર્વજનિક અને ખાનગી વાહનોને પરવાનગી આપવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારનાં પાસ આપવામાં આવશે નહીં.
આ વખતે લોકડાઉન ખૂબ કડક હશે
રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે હવે અમારા પાસે પૂર્ણ લોકડાઉન લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ વખતે લોકડાઉન ખૂબ કડક હશે. પહેલા સાત દિવસ સુધી તો કરિયાણા અને શાકભાજી પણ નહીં મળે.
અસમનાં સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસનાં નવા 88 કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા સાડા છ હજારની નજીક છે. રાજ્યમાં વર્તમાનમાં 2400 એક્ટિવ કેસ છે અને સાજા થવાનો દર 63 ટકા છે.
મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે મોટા પાયા પર ટેસ્ટ અને ટ્રેસિંગ મારે નીતિના કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં રહી છે અને તેમાં સહયોગ કરનારા દરેકનો આભાર વ્યક્ત કરું છું. કોરોના વાયરસ સામે જંગ માટે પ્રતિબદ્ધ છું .