બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ભારત પાક મેચ પહેલાં મોટા માઠા સમાચાર, સૂર્યકુમાર, ગિલ-ગંભીર ચિંતામાં, બીજી વાત તો દિલમાં ઉતરી જશે
Last Updated: 12:26 PM, 14 September 2025
આજે રાતે 8 વાગ્યે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર છે પરંતુ મેચ શરુ થાય તે પહેલાં માઠા સમાચાર સામે આવ્યાં છે જેનાથી ટીમના ખેલાડીઓ ચિંતામાં મૂકાયા હતા. હકીકતમાં મેચ પહેલાં સોશિયલ મીડિયામાં બોયકોટ મેચ એવો ટ્રેન્ડ શરુ થયો હતો. આ ટ્રેન્ડ ખૂબ ચાલતાં તેની આંચ ડ્રેસિંગ રુમ સુધી પહોંચી હતી.
ADVERTISEMENT
ગૌતમ ગંભીરે ખેલાડીઓ સાથે કરી લાંબી ચર્ચા
બોયકોટ મેચ વિવાદ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચિંતામાં મૂકાયા હતા. ભારતીય ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિત અન્ય સપોર્ટ સ્ટાફ સાથે લાંબી ચર્ચાઓ થઈ છે. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર ભારે ચિંતામાં જોવા મળ્યાં હતા અને તેમણે લાંબી લાંબી ચર્ચાઓ શરુ કરી હતી. ખેલાડીઓને પ્રોફેશનલ રહેવા અને મેચને અન્ય કોઈપણ મેચની જેમ લેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ શું તેઓ એવું કરી શકે છે? હાલમાં દુબઈમાં રહેલી ભારતીય ટીમ એક યુવા ટીમ છે. બધા ખેલાડીઓની નજર સોશિયલ મીડિયા પર છે. તેઓ પોતાના મોબાઈલ પર જોઈ રહ્યા છે કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને કેવી રીતે પહોંચી ગયો છે. લોકો BCCIનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT
ભારતીય ટીમમાં તણાવ
ભારતીય ક્રિકેટ ટીમના કેમ્પમાં તણાવ સ્પષ્ટપણે અનુભવી શકાય છે, કારણ કે આટલી મોટી મેચ પહેલા, ન તો મુખ્ય કોચ, ન કેપ્ટન, ન તો કોઈ ખેલાડી મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા. મેચની પૂર્વસંધ્યાએ, ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટને પ્રેસ કોન્ફરન્સમાં મોકલવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બીજી શું ઘટના બની
ADVERTISEMENT
જેમ હંમેશા બને છે તેમ જ્યારે જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ હોય છે. દેશ આખામાં તેની જ ચર્ચા ચાલતી હોય છે અને આખો દેશ આ મેચ જોતો હોય છે એટલે એક રીતે લોકોમાં ક્રેઝ હોય છે પરંતુ આ વખતની મેચમાં આવો કોઈ ક્રેઝ જોવાયો નથી, અરે ત્યાં સુધી કે ટીકિટ વેચવામાં પણ ફાંફો પડ્યાં છે.
પહેલગામ હુમલા બાદ લોકો ગુસ્સામાં
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. એશિયા કપ પહેલા, ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમશે તે નક્કી નહોતું. પરંતુ ભારત સરકારે લીલી ઝંડી આપ્યા પછી, BCCI એ તેની ટીમ દુબઈ મોકલવાનો નિર્ણય લીધો. આ સમયે સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે છે. લોકો નથી ઇચ્છતા કે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમે. કારણ કે પહેલગામ આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. કોઈનો પતિ બરબાદ થઈ ગયો હતો અને કોઈનો ભાઈ ગયો હતો. લોકો તે વાતને લઈને ખૂબ ગુસ્સે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.