બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / રોહિત-કોહલી પર અશ્વિને રહસ્ય ખોલી દેતાં ક્રિકેટ જગતમાં કંપારી, મોટા ક્રિકેટરો નાખી ગયાં મોંમાં આંગળા
Last Updated: 01:51 PM, 9 October 2025
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માના વનડે સંન્યાસની ચર્ચાઓ ચાલી રહી છે. ક્રિકેટ જગતમાં અને પૂર્વ ક્રિકેટરોને એવું લાગી રહ્યું છે કે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓ સાથે બરોબર વર્તન કર્યું નથી, એક લાગી રહ્યું છે કે બીસીસીઆઈએ બન્નેને કાઢવા આતુર છે ત્યારે હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી આર અશ્વિને રોહિત અને કોહલીના પક્ષમાં બોલતાં બીસીસીઆઈને આકરી ફટકાર લગાવી છે.
ADVERTISEMENT
શું બોલ્યો અશ્વિન?
અશ્વિને કહ્યું કે T20 વર્લ્ડ કપ પછી બંનેને તેમના ક્રિકેટ ભવિષ્ય વિશે કેમ જાણ કરવામાં આવી ન હતી. તે પછી તરત જ, બંને અનુભવી ખેલાડીઓએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. એક તરફ, પસંદગીનો મુદ્દો છે, અને બીજી તરફ, કોહલી અને રોહિતનો મુદ્દો છે. આ એક જ સિક્કાની બે બાજુઓ છે. પસંદગીને જોતા, એ સ્પષ્ટ થાય છે કે પસંદગીકારો આગળ વધી રહ્યા છે અને બીસીસીઆઈએ બન્નેની સાથે જે કર્યું છે તે ખોટું કર્યું છે.
ADVERTISEMENT
મનોજ તિવારીએ પણ બીસીસીઆઈ પર ઉઠાવ્યાં હતા સવાલ
ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ પણ બીસીસીઆઈ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવવાને દિગ્ગજ ખેલાડીનું અપમાન ગણાવ્યું હતું. તિવારીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો તે રોહિતની જગ્યાએ હોત, તો વધુ અપમાન ટાળવા અને પોતાનું ગૌરવ જાળવવા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હોત.
ADVERTISEMENT
શું છે વિવાદ
હકીકતમાં બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવ્યો છે. તેને હટાવ્યા બાદ ક્રિકેટ જગતમાં ચર્ચા હતી કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ રોહિતનો છેલ્લો પ્રવાસ છે તે પછી તે નિવૃતી જાહેર કરી શકે છે. કોહલીના કિસ્સામાં પણ આવું જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.