બ્રેકિંગ ન્યુઝ
VTV / An Effective Ayurvedic Diet to Improve Your Thyroid
થાઇરોઇડમાં હોર્મોનવાળી દવાઓ ખાવાથી દર્દીઓના શરીરમાં કેલ્શિયમની કમી ઉદભવે છે. તેનાથી થાક અને હાડકામાં ફ્રેક્ચરનો ખતરો રહે છે. જો દર્દી 45 વર્ષથી વધુ ઉંમરનો હોય તો ખતરો વધુ રહે છે. તેનાથી બચવા માટે ખજુર, કિશમિશ, બદામ, મલાઇ કાઢેલુ દુધ, પનીર, ડુંગળી, લીમડો, અખરોટ, ટામેટાં, ગાજર, આંબળા અને દહીંનુ સેવન કરવું જોઇએ. આ રોગના દર્દીએ બાજરી અને જુવારના લોટમાંથી બનેલી રોટલી ખાવી જોઇએ. આ માટે દસ કિલો ઘઉંના લોટમા બે-બે કિલો બાજરી અને જુવારનો લોટ મિક્સ કરી દો.
ADVERTISEMENT
આયુર્વેદિક ટ્રીટમેન્ટ
થાઇરોઇડની દવા લેતા હોય તેવી વ્યક્તિઓ માટે આ ઉકાળો ખુબ લાભદાયક છે. ઉકાળો બનાવવા માટે 50-50 ગ્રામ દશમુલ, મેથી દાણા, અજમો, શેકેલુ જીરુ, વરિયાળી અને લીમડાના પાનને મિક્સ કરી, કુટીને એક ડબ્બામાં ભરી દો. રોજ રાત્રે બે ગ્લાસ પાણીમાં બે ચમચી આ મિશ્રણને પલાળીને રાખો, સવારે ધીમી આંચ પર તેને પકાવો. તને ઢાંકો નહીં. જ્યારે ચોથા ભાગનુ પાણી બચે ત્યારે તેને ગાળીને હુંફાળુ હોય ત્યારે જ પી લો. આ ઉકાળાની તાસીર ગરમ હોય છે, તેથી ખુબ જ ગરમીમાં ન પીવો. ખુબ ઉકળતુ પણ ન પીવો. ગર્ભવતી મહિલાઓને તે ન પીવડાવો અને તેને ફ્રિજમાં પણ ન રાખો.
ADVERTISEMENT
આટલું ધ્યાન રાખો
ડુંગળી, બીટ, સંચળ,મુળા, બ્રાહ્મી, કમર કાકડી, તાજા ફળો, લીલા શાકભાજી. હળદળ, ફુલ મખાને, સફરજન, દાડમ, મોસંબી, આંબળા, જાંબુ, અનાનસ, કારેલા, ટામેટાં, પાલક, વટાણા, ટિંડોળા, પરવર, પનીર, દુધ, દહીં, લસ્સી લો. કોબીજ, બ્રોકલી, કેળા, કાજુ, સોપારી, સરસોનું શાક, મગફળીથી દુર રહો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT