બ્રેકિંગ ન્યુઝ
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની ફિલ્મોને લઈને ચર્ચાનો વિષય બને છે. 81 વર્ષની ઉંમરે પણ લોકો તેના કામને જોઈને તેના દિવાના છે. હાલમાં જ અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT

એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભની આજે સવારે જ એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ છે. જેના માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 81 વર્ષીય અભિનેતાને ખભાની સમસ્યાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ મામલે અમિતાભ બચ્ચન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની હાલત સ્થિર છે.
T 4950 - in gratitude ever ..
— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024
ADVERTISEMENT
તાજેતરમાં સર્જરી બાદ અમિતાભ બચ્ચને ટ્વિટર પર ટ્વીટ કર્યું અને લખ્યું, હું હંમેશા આભાર વ્યક્ત કરું છું... એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેણે સર્જરી બાદ આ વાત ટ્વીટ કરી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.