આખી દુનિયા કોરોના વાયરસના સંકટની સામે ઝઝૂમી રહી છે. ભારતમાં પણ કોરોના સંક્રમિતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કોરોના સામે લડવા માટે પીએમ મોદીએ 5 એપ્રિલ રવિવારના રોજ 9 વાગ્યે 9 મિનિટ સુધી ઘરની લાઇટો બંધ કરીને, મીણબત્તી પગ્રટાવવાની દેશવાસીઓને અપીલ કરી હતી.
પીએમ મોદીની આ અપીલમાં સામાન્ય લોકો જ નહી સેલિબ્રેટીઝે પણ પોતાના ઘરે દીવડા, મીણબત્તી કે ટોર્ચ ચાલુ કરીને પ્રકાશ પાર્થયો હતો. સેલેબ્સે દીવા અને મીણબત્તી પ્રગટાવતી ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં હાલમાં ટ્રેન્ડિગ છે.
કોરોના વાયરસ સામેની જંગમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ શામેલ થયા હતા, તેમણે પોતાના ઘરે મીણબત્તી પ્રગટાવવી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ મીણબત્તી સાથે જોવા મળે છે. હાથમાં મીણબત્તી સાથે નીતા અંબાણી મહામૃત્યુજંયના મંત્રની જાપ કરી રહ્યા છે.
નીતા અંબાણીએ પોતાના ઘરની તમામ લાઇટો બંધ કરી મીણબત્તી પ્રગટાવવી હતી અને તેની ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ સિવાય ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ પોતાના ઘરે 9 વાગેને 9 મિનિટ પર દીવો પ્રગટાવવીને કોરોના સામેની આ લડતમાં સાથ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોના સામેની આ જંગમાં પીએમ મોદી રિલીફ ફંડમાં ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા ગ્રુપે સુયંક્ત રીતે 1500 કરોડ રૂપિયાનું દાન કર્યુ તો રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 500 કરોડનું દાન કર્યુ. તે ઉપરાંત કંપની 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર તથા ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ આપ્યા.