બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Alpesh Thakor can turn water on the hope of Shankar Chaudhury

ADVERTISEMENT
અલ્પેશે કહ્યું અમારી સમજૂતી થઈ ગઈ છે
ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રચાર શરૂ કરી દેશે. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટથી અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચારના શ્રીગણેશ કરવાના હતાં. એટલે કે ચૂંટણીની જાહેરાત પહેલા જ અલ્પેશ ઠાકોરે રાધનપુરથી લડવાના સંકેત આપી દીધા છે. ત્યારે શંકર ચૌધરીની રાધનપુરથી ચૂંટણી લડવાની અટકળો અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, શંકર ચૌધરી અને મારું મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ છે.
ADVERTISEMENT

શંકર ચૌધરીની આશા પર પાણી ફરી શકે
ADVERTISEMENT
મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની વાવ બેઠક પરથી શંકર ચૌધરી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની સામે હારી ગયાં હતાં. ત્યાર બાદ કોંગ્રેસને અલવિદા કહી દેનાર અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય હતાં.

ADVERTISEMENT
આવામાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે સૂત્રો તરફથી કહેવાતું હતું કે રાધનપુરથી ભાજપ શંકર ચૌધરીને મેદાને ઉતારી શકે છે. પરંતુ જે રીતે હવે અલ્પેશે પેટાચૂંટણીની જાહેરાત પહેલાં જ રાધનપુરથી ચૂંટણી પ્રચાર કરી દીધો છે ત્યારે લાગી રહ્યું છે કે શંકર ચૌધરીની આશા પર પાણી ફરી શકે છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે અલ્પેશ અને શંકર ચૌધરી વચ્ચે કઈ સમજૂતી ગોઠવાય છે અને ભાજપ કયા ફોર્મ્યુલાના આધારે આ રાધનપુર જંગને પાર પાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.