બ્રેકિંગ ન્યુઝ
પાંચ ભારતીય ખેલાડીઓ- રોહિત શર્મા, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સૈની મેલબોર્નની એક રોસ્ટોરાંમાં ગયા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ હોબાળો મચાવ્યો કે ભારતીય ખેલાડીઓએ પ્રોટોકોલ તોડ્યો છે. આ બધા વચ્ચે ટીમ ઇન્ડિયા માટે એક ખુશખબર આવ્યા છે કે ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ADVERTISEMENT
BCCIએ જણાવ્યું, ''ગઈ કાલે ભારતીય ક્રિકેટ ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફનો RTPCR ટેસ્ટ થયો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.''
ઓસી. મીડિયાનો રિપોર્ટ ખેલાડીઓ માટે ચિંતાનો વિષય નથી
ADVERTISEMENT
BCCIનાં સૂત્રોએ જણાવ્યું કે ઓસી. મીડિયાનો રિપોર્ટ ખેલાડીઓ માટે ચિંતાનો વિષય નથી અને તેઓ ત્રીજી ટેસ્ટની તૈયારીમાં કોઈ કસર નથી રાખી રહ્યા, કારણ કે શ્રેણી ૧-૧થી બરોબર પર છે. ખેલાડીઓએ બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડી નાખ્યો છે અને તેઓ એ ધ્યાનમાં નથી લઈ રહ્યા કે કોણ શું કહે છે. અમે એવું માનીને ચાલી રહ્યા છીએ કે કોઈ પણ પ્રોટોકોલ તોડવામાં આવ્યો નથી. અમે ત્રીજી ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
પાંચેય ખેલાડી ટીમ સાથે જ સિડની જવા રવાના
ADVERTISEMENT
વિવાદ છતાં ભારતીય ટીમ રોહિત શર્મા સહિત પાંચેય ખેલાડીઓ સાથે સિડની જવા રવાના થઈ. આ પાંચેય ખેલાડીઓ પર બાયોબબલ નિયમ તોડવાનો આરોપ હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.