બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / All 4 BJP candidates declared unopposed in Rajya Sabha

BIG BREAKING / રાજ્યસભામાં ભાજપના તમામ 4 ઉમેદવાર બિનહરીફ જાહેર, ગાંધીનગરથી સત્તાવાર જાહેરાત

Vishal Khamar

Last Updated: 04:25 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની ચૂંટણીમાં તમાં 4 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

  • રાજ્યસભાના ભાજપા 4 ઉમેદવાર બિનહરીફ જાહેર
  • જે.પી.નડ્ડા બિનહરીફ જાહેર થયા
  • મયંક નાયક, ડો જશવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકીયા બિનહરીફ જાહેર

ગુજરાતમાં ચાર રાજ્યસભાનાં સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોઈ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોઈ રાજ્યસભાનાં 4 ઉમેદવાોનો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપનાં ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારનાં ટેકેદારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. 

ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે. જોકે આ ચારેયની સત્તાવાર જીતની જાહેરાત કરવામાં આવી હતી. આ તરફ  કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફાર્મ ભર્યો નથી. મહત્વનું છે કે, 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.

કોણ છે જે.પી. નડ્ડા ?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે 
જે.પી.નડ્ડાનું પુરુ નામ છે જગત પ્રકાશ નડ્ડા
બિહારના પટનામાં વર્ષ 1960માં જન્મ
BA અને LLB સુધીનો અભ્યાસ પટનામાંથી 
શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા
પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા 
રાજ્ય અને કેન્દ્રમાં  મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે
વર્ષ 1994થી 1998 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા છે 
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન બનાવાયા હતા 

ગોવિંદ ધોળકિયા કોણ છે?

દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મ
હીરાના પ્રતિષ્ઠિત કારોબારી
નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો
વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા
હાલ 4800 કરોડની નેટવર્થ
લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે
1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી
શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા
બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું
શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી
રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો
પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું
હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી

મયંક નાયક કોણ છે?
ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા
મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી
મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ