બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Airlines refuse to refund cancelled tickets money during extended lockdown offer to reschedule flights
ઉલ્લેખનીય છે કે, આ પહેલા યાત્રીઓને આશા હતી કે 15 એપ્રિલથી તેમણે રિફન્ડ મળી શકે છે જોકે હવે જ્યારે લૉકડાઉનને 3 મે સુધી કરી દેવામાં આવ્યુ છે તો એરલાઇન્સ કેશ રિફન્ડની જગ્યાએ PNR પર જ ક્રેડિટ શેલ આપવાની વાત કરી રહી હતી, જેનો ઉપયોગ કરીને યાત્રીઓ આગામી યાત્રામાં ટિકિટ બુક કરાવી શકે છે. જોકે હવે એરલાઇન્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, 25 માર્ચથી 14 એપ્રિલના સમયગાળા માટે બુક કરાયેલ ટિકિટોની રકમ પરત કરવાને બદલે એરલાઇન્સ્સે ગ્રાહકોને નવી તારીખ પર ટિકિટ બુક કરવાની મંજૂરી આપી દીધી હતી.
ADVERTISEMENT
Airlines decide not to refund customers in cash for cancelled flights & instead offer them rescheduling of tickets without any additional fee. #Lockdown #COVID19
— Press Trust of India (@PTI_News) April 14, 2020
ADVERTISEMENT
જોકે એર ઇન્ડિયા સિવાય મોટાભાગની એરલાઇન્સે 14 એપ્રિલ પછીના સમયગાળા માટે ડોમેસ્ટિક ફ્લાઇટનું બુકિંગ ચાલુ રાખ્યું હતું.
ADVERTISEMENT
મંગળવારે પ્રધાનમંત્રીએ જ્યારે લૉકડાઉન વધારવાની વાત કર્યા પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પણ જાહેરનામું બહાર પાડ્યું હતું કે, તમામ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ 3 મે સુધી બંધ રહેશે. DGCAએ કહ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી પ્રાપ્ત આદેશ અનુસાર દેશમાં તમામ પ્રકારની ફ્લાઇટ્સ 3 મે 2020 સુધી બંધ રહેશે.
વિસ્તારા એરલાઇન્સે જણાવ્યું કે, અમે વધેલા લૉકડાઉનના સમયગાળાથી અસરગ્રસ્ત ટિકિટ બુકિંગ કેન્સલ કરવાની તૈયારીમાં છે. અમે ગ્રાહકોને 31 મી ડિસેમ્બર 2020 સુધી કોઈ વધારાનો ચાર્જ વિના નવી તારીખે ટિકિટ બુક કરવાની મંજૂરી આપીશું. પરંતુ જો નવા બુકિંગ પર મુસાફરીના ભાડાંમાં કોઈ ફરક હોય તો તે ગ્રાહકે ચૂકવવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.