બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / aiadmk o paneerselvam expelled from party positions e palaniswami takes charge became general secretary in tamilnadu politics
ADVERTISEMENT
તમિલનાડુના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ઓ પનીરસેલ્વમને સોમવારે પાર્ટીના તમામ હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા, આ પછી એડપ્પડી પલાનીસ્વામીએ પાર્ટીના વચગાળાના જનરલ સેક્રેટરી તરીકે ચારજ સંભળ્યો છે .
#UPDATE | AIADMK General Council adopts a resolution to remove O Paneerselvam from party's primary membership pic.twitter.com/TKefddBJtF
— ANI (@ANI) July 11, 2022
ADVERTISEMENT
સમર્થકોને પણ હાંકી કાઢવામાં આવ્યા
ADVERTISEMENT
વરિષ્ઠ નેતાઓ અને ઓ પનીરસેલ્વમ સમર્થકો-જેસીડી પ્રભાકર, આર વૈથિલિંગમ અને પીએચ મનોજ પાંડિયનને પણ AIADMK માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
હાંકી કાઢવામાં આવ્યા બાદ, પનીરસેલ્વમે વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેઓ પલાનીસ્વામીને પાર્ટીમાંથી હટાવી રહ્યા છે. OPS એ જણાવ્યું હતું કે તેઓ કોર્ટમાં જશે કારણ કે તેઓ 1.5 કરોડ પાર્ટી કેડર દ્વારા સંયોજક તરીકે ચૂંટાયા હતા.
ADVERTISEMENT
.jpg)
ઈ પલાનીસ્વામીને વચગાળાના જનરલ સેક્રેટરી
ADVERTISEMENT
AIADMK જનરલ કાઉન્સિલની બેઠકે EPS તરીકે ઓળખાતા ઈ પલાનીસ્વામીને વચગાળાના જનરલ સેક્રેટરી તરીકે જાહેર કર્યા હતા, આમ પાર્ટીના બેવડા નેતૃત્વનું માળખું ખતમ થઈ ગયું હતું. મદ્રાસ હાઈકોર્ટે આ મુદ્દે સ્ટે માંગતી OPSની અરજીને ફગાવી દીધા પછી જનરલ કાઉન્સિલની બેઠક થઈ હતી.
Chennai, TN | The General Council members have unanimously passed the resolution to bring a single leadership into the party: AIADMK leader E Palaniswami pic.twitter.com/4veZmxEoSG
— ANI (@ANI) July 11, 2022
ADVERTISEMENT
બંને નેતાઓના સમર્થકો વચ્ચે ઘર્ષણ
તો બીજી તરફ તમિલનાડુની શેરીઓમાં, બંને નેતાઓના સમર્થકો વચ્ચે ઘર્ષણના અહેવાલ છે. ઈન્ટરનેટ પર વિડીયોમાં OPS સમર્થકો AIADMK કાર્યાલય પર હુમલો કરતા અને EPS વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. ઓ પનીરસેલ્વમ જૂથના કેટલાક કાર્યકરો નવા જનરલ સેક્રેટરીની તસવીરને ચપ્પલ વડે થપ્પડ મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
#WATCH | O Paneerselvam supporters slap slippers at E Palaniswami's photo as they protest AIADMK's General Council meeting in Vanagaram, Chennai pic.twitter.com/1bLqtnT7To
— ANI (@ANI) July 11, 2022
2017માં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના વારસાનો દાવો કરવા અને મુખ્યમંત્રી બનવાના સંઘર્ષમાં EPS અને OPS એક શાંત યુદ્ધમાં જ હતા. જયલલિતાના મૃત્યુ પછી થોડા સમય માટે પનિરસેલ્વમે મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી, તેમને પલાનીસ્વામી દ્વારા બદલવામાં આવ્યા હતા અને મે 2021 સુધી તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જો કે બાદમાં AIADMKને સત્તા ગુમાવવી પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.