બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનો 53 વર્ષ જુનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે, AMC કમિશનરે કર્યું એલાન
Last Updated: 06:25 PM, 24 June 2026
સુભાષબ્રિજ મામલે વધુ એક વાર અમદાવાદ મહાનગરપાલિકા ની બેદરકારી સામે આવી છે ..બ્રિજ ની કામગીરી 5 મહિના ચાલ્યા બાદ હવે બ્રિજ ને સંપૂર્ણ તોડી પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષબ્રિજ ના હયાત બ્રિજ ના સ્પાન સહિત પીલ્લર ને પણ તોડી પાડવામાં આવશે .બ્રિજ માં રિપેરિંગ કામ સમયે પીલ્લર માં તિરાડો જોવા મળી હતી. જે મમ્મતે આઈઆઈટી રુરકી અને ગાંધીનગર પાસે રિપોર્ટ કરાવવામાં આવતા એજન્સી દ્વારા હયાત બ્રિજ ને સંપૂર્ણ તોડી નવો બનાવવા અભિપ્રાય આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
હયાત બ્રિજને તોડી પાડવા મામલે મ્યુ કમિશનર બંછાનિધિ પાની એ જણાવ્યું હતું કે બ્રિજ ના પીલ્લર માં તિરાડો જોવા મળી છે..IIT રૂડકી એજન્સી દ્વારા બ્રિજ મામલે અભિપ્રાય આપવામાં આવ્યો છે. બ્રિજ ના પીલ્લર ને તોડવા માટે કન્સલ્ટન્સી દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે ..સુભાષબ્રિજ ના પીલ્લર 53 વર્ષ જૂના હોવાથી પીલ્લર ને પણ નવા બનાવવા અભિપ્રાય મળ્યો છે. જો બ્રિજ ના સ્પાન અને પિલર નવા બને તો તેનું આયુષ્ય 100 વર્ષ સુધી ચાલી શકે છે. પીલ્લર અને સ્પાન બંને નવા બનશે તો નવા બ્રિજ ની સ્ટ્રેંધન બધું મજબૂત બનશે.
ADVERTISEMENT
અગાઉ સુભાષબ્રિજ ને રિપેર કરી નવો બ્રિજ બનાવવા રૂ 236 કરોડ નું ટેન્ડર કરવામાં આવ્યું હતું જો કે હવે આખો બ્રિજ તોડી નવો બનાવવા માટે ખર્ચ પણ વધશે. ઉપરાંત જે બ્રિજ 9 મહિનામાં રિપેર થવાનો હતો તે હવે દોઢ વર્ષે થશે જેના કારણે અમદાવાદીઓ ને ટ્રાફિક ની સામનો કરવો પડશે ..નાગરિકો જણાવ્યું કે વધતા પેટ્રોલ ના ભાવ ને કારણે વાડજ થી ફરી ને પૂર્વ વિસ્તાર કે એરપોર્ટ સુધી પહોંચવામાં વાર લાગે છે. હજુ જો સમય લાગશે તો હેરાનગતિ વધશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં નકલી પ્લાઝમા : શું હોય છે, શરીર માટે કેટલું જરુરી, જાણો બધી વાતો ડો. યોગેશ ગુપ્તા પાસેથી
સુભાષબ્રિજ સવાલ ઊભો થાય છે કે જે સમયે બ્રિજ ની રિપેરિંગની કામગીરી એજન્સી રિપોર્ટ થી કરી તો તે સમયે પીલ્લર મામલે રિપોર્ટ નહોતા મળ્યા ? 5 મહિના કામ થયા બાદ હવે અચાનક રિપોર્ટ ક્યાં થી આવ્યો ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.