બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Dinesh
Last Updated: 04:34 PM, 21 April 2024
રાજ્યમાં આગ લાગવાની આજે બે ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે ત્યારે આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવી રહ્યું છે. આજે અમદાવાદના શીલજમાં અને અમરેલીમાં આગની ઘટના બની છે.
અમદાવાદના શીલજમાં આગની ઘટના
અમદાવાદના શીલજમાં આગ લાગવાની ઘટના બની છે. મનન માર્કેટિંગમાં બેગના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. જે આગ કાબૂમાં લાવવા ફાયર વિભાગની 20 ગાડીની મદદ લેવાઈ હતી. તેમજ JCBની મદદથી ગોડાઉનના પતરા તોડયા હતા. જે પતરા તોડતા ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રહેલો સંપૂર્ણ માલ બળીને ખાખ થયો હતો. સદ્દનસીબે રવિવાર હોવાથી જાનહાની ટળી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આંબરડીના જંગલ વિસ્તારમાં લાગી આગ
તો બીજી તરફ અમરેલી જિલ્લાના આંબરડીના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. ધારીના આંબરડી રેવન્યુ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા અફરા તફરી મચી હતી. પાણીનો છંટકાવ કરી ખેડૂતોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગનુ વિકરાળ સ્વરૂપ થતાં ખેડૂતોએ તંત્રને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આંબરડીના મોદળ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા