બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / In Gujarat Congress will contest elections on 23 seats out of 26
Last Updated: 06:02 PM, 21 April 2024
ગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠક ઉપર જ ચૂંટણી લડશે. સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. ગુજરાતમાં બે બેઠક કોંગ્રેસે ગઠબંધનનાં ઉમેદવારને આપી છે. હવે 26 માંથી કોંગ્રેસ 23 બેઠક ઉપર જ ચૂંટણી લડશે. ભાજપ સામે હવે કોઈ મજબૂત ઉમેદવાર રહ્યો નથી. સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતા છે.
ADVERTISEMENT
આરોપ પ્રતિઆરોપ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો થયા ગાયબ
સુરત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ થયું હતું. ભાજપની ફરિયાદ બાદ શરૂ થયેલી રાજકીય હૂંસ તૂંસીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. નિલેશ કુંભાણીનાં ફોર્મમાં ટેકેદારો બોગસ હોવાની ફરિયાદ બાદ 24 કલાક રાજકીય ડ્રામા ચાલ્યો હતો. આરોપ પ્રતિઆરોપ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારનાં ટેકેદારો ગાયબ થયા હતા. 24 કલાક ચાલેલા રાજકીય ડ્રામા બાદ ટેકેદારો હાજર ન થતા કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.
ADVERTISEMENT
અંતે ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું
18 એપ્રિલે નિલેશ કુંભાણીએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ હતી. ભાજપનાં ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો લીધો હતો. ભાજપનાં ચૂંટણી એજન્ટનાં વાંધા સામે ચૂંટણી અધિકારીએ સુનાવણી કરી હતી. કલેક્ટરની સામે નિલેશ કુંભાણીનાં ટેકેદારોએ સોગંદનામું પણ કર્યું હતું. નિલેશ કુંભાણીએ ટેકેદારોને હાજર કરવા સમય માંગ્યો હતો. આજે સવારથી નિલેશ કુંભાણીનાં ટેકેદરોનો સંપર્ક કરવાનો પ્રયાસ થતો હતો. નિલેશ કુંભાણીનાં ટેકેદારો નિયત સમય મર્યાદામાં હાજર ન થયા.
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
સુરતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. સુરતના કોંગ્રેસ ઉમેદવારનુ ફોર્મ રદ થતાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે નિયમાનુસાર ચૂંટણી થાય તો ભાજપ હારી જાય એમ છે એટલે ભાજપ ટેકેદારોને ગુમ કરાવવાનો હથકંડો અજમાવી રહ્યો છે. ફોર્મ રદ એમનેમ ન થાય ટેકેદારની સહી ન હોય તો જ ફોર્મ રદ થાય એટલે અમારી આ માંગ છે કે ટેકેદારોની ઉલટતપાસ થાય અને ન્યાય મળે.
વધુ વાંચોઃ સુરેન્દ્રનગર: 20 વર્ષથી પીવાના પાણીની સમસ્યા યથાવત, હવે આવ્યો ઘર છોડવાનો વારો, જુઓ વીડિયો
અન્ય 7 ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો સુરત બેઠક બનશે બિનહરીફ
સુરતમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ હવે બેઠક બિનહરીફ બનવાની શક્યતા છે. સુરત લોકસભા બેઠક ભાજપ માટે બિનહરીફ થવાની શક્યતાઓ પ્રબળ છે. કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા હવે સુરત બેઠક પર ભાજપ સહિત 8 ઉમેદવારો છે. સુરત બેઠક પર 1 BSP, 3 અપક્ષ અને 3 સ્થાનીય પાર્ટીઓનાં ઉમેદવારોનાં ફોર્મ જમા થયા છે. ભાજપ સિવાયનાં અન્ય ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેચે તેવો સૂત્રનો દાવો કર્યો છે. અન્ય 7 ઉમેદવારો ફોર્મ પરત ખેચે તો સુરત બેઠક બિનહરિફ બનશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.