બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 08:47 AM, 6 May 2024
હવે જો તમે વોટ કરો છો તો તમને તમારી આંગળી પર લગાવેલી બ્લૂ ઇન્ક યાદ હશે જ. લોકો વોટ આપ્યા પછી શાહીવાળી આંગળીની સેલ્ફી લઈને તેને યાદગાર બનાવે છે. પણ શું તમે જાણો છો કે આ શાહી ક્યાં બને છે અને તેનો ઈતિહાસ શું છે? તમને આ અંગે ઘણા પ્રશ્નો હશે. ચાલો આ પ્રશ્નોના જવાબો વિગતવાર સમજીએ.
ADVERTISEMENT
વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં લોકશાહીનો તહેવાર એટલે કે લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને આપણાં ગુજરાતમાં 7 મે એટલે કે આવતીકાલે મતદાન થવાનું છે. હવે એ તો બધા જાણીએ જ છે કે મતદાન કર્યા પછી ડાબા હાથની તર્જની પર વાદળી શાહી વડે નિશાન બનાવવામાં આવે છે, જેને લોકશાહીના તહેવારમાં સહભાગિતાનું નિશાન પણ માનવામાં આવે છે. તમારી આંગળી પરની વાદળી શાહી એ વાતનો પુરાવો છે કે તમે સરકાર બનાવવા માટે તમારો મત પાર્ટીને આપ્યો છે. પણ શું તમને ખબર છે કે ભારતીય ચૂંટણીઓમાં વાદળી શાહીનો સમાવેશ કરવાનો શ્રેય દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સુકુમાર સેનને જાય છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે વોટિંગ દરમિયાન આંગળી પર શાહી લગાવવામાં આવે છે જેથી કરીને મતદાર ફરી વોટ ન કરી શકે. નકલી મતદાનને રોકવા માટે આવું કરવામાં આવે છે. આ શાહી આંગળીમાંથી જલ્દી ઉતરતી નથી. તેના નિશાન આંગળી પર લાંબા સમય સુધી રહે છે. ખાસ વાત એ છે કે આ શાહી આંગળી પર લગાવ્યા બાદ માત્ર 40 સેકન્ડમાં જ સંપૂર્ણપણે સુકાઈ જાય છે.
પાણી આધારિત શાહી એ સિલ્વર નાઈટ્રેટ, વિવિધ રંગો અને કેટલાક સોલવન્ટ્સનું મિશ્રણ છે. લોકો તેને ઈલેક્શન ઈંક અથવા ઈન્ડેલીબલ ઈંકના નામથી ઓળખે છે. એકવાર આંગળીના નખ અને ત્વચા પર 40 સેકન્ડની અંદર લાગુ કર્યા પછી, તે લગભગ અદમ્ય છાપ છોડી દે છે. આ શાહી 72 કલાક સુધી ભૂંસી નથી શકાતી અને તેનો રંગ 15 દિવસ સુધી રહે છે.
દેશમાં પ્રથમ વખત 1951-52માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઘણા લોકોએ એક કરતા વધુ વોટ આપ્યા હતા. લોકોને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યા હતા. આ સમસ્યાના સમાધાન માટે ચૂંટણી પંચ એવી શાહી શોધી રહ્યું હતું જે સરળતાથી ભૂંસી ન શકાય. ચૂંટણી પંચે આ માટે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા (NPL)નો સંપર્ક કર્યો હતો, જે બાદ એમને આ શાહી તૈયાર કરી, જેને ન તો પાણી દ્વારા અને ન તો કોઈ રસાયણ દ્વારા દૂર કરી શકાય છે. જણાવી દઈએ કે આ શાહીનો ઉપયોગ 1962ની ચૂંટણીથી લઈને અત્યાર સુધી થઈ રહ્યો છે.
દક્ષિણ ભારતમાં સ્થિત મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ (MVPL) નામની કંપની આ શાહી બનાવે છે. આ કંપનીની સ્થાપના 1937માં મૈસુર પ્રાંતના તત્કાલીન મહારાજા નલવાડી કૃષ્ણરાજા વોડેયારે કરી હતી. કંપની આ શાહી માત્ર સરકાર અને ચૂંટણી સંબંધિત એજન્સીઓને પૂરી પાડે છે. આ શાહી બજારમાં વેચાણ માટે આપવામાં આવતી નથી. આ કંપનીની ઓળખ આ શાહી વિશે જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT