બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ધર્મ / ગુજરાતના આ મંદિરે થયા છે સોપારી ચોંટાડવાની વિધિ, થયા છે સંતાન પ્રાપ્તિ

દેવ દર્શન / ગુજરાતના આ મંદિરે થયા છે સોપારી ચોંટાડવાની વિધિ, થયા છે સંતાન પ્રાપ્તિ

Last Updated: 07:42 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભટગામની આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીનાં મંદિરે દર્શન કરવા આવે છે. નવરાત્રીની આઠમે મંદિરમાં માતાજીની સમૂહ આરતીમાં ભક્તો હાથમાં દિવડા લઈ આરતી કરે છે.

સુરત જિલ્લાના ઓલપાડથી માત્ર 5 કિલો મીટરના અંતરે આવેલા ભટગામે ઐતિહાસિક મહાકાળી માતાજીનુ મંદિર આવેલુ છે.ગુજરાતમાં પહેલું સ્થાન પાવાગઢ ઉપર મહાકાળીનું ગણાય છે. અને બીજું સ્થાન ભટગામ સ્વયં પ્રગટ મહાકાળી ગણાય છે.ભટગામની આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીનાં મંદિરે દર્શન કરવા આવે છે.

નવરાત્રીની આઠમે મંદિરમાં માતાજીની સમૂહ આરતીમાં ભક્તો હાથમાં દિવડા લઈ આરતી કરે છે. પહેલા ભટગામ સુધી દરિયાની ભરતીના પાણી આવતા પરંતુ સરકારે બંધ બાંધ્યા હોવાથી ભરતીના પાણી આવતા બંધ થયા છે. શ્રી મહાકાળી માતાજી કળયુગમાં પણ પરચા પુરે છે જે કોઈ દંપતિને સંતાન ન હોય તે વ્યક્તિ આજે પણ મંદિરે આવી ટેક રાખે છે. માતાજીના મંદિરે સોપારી ચોંટાડવાની વિધિ કરવામાં આવે છે. આ વિધિ રવિવારે, મંગળવારે તેમજ ગુરુવારે કરવામાં આવે છે.

mahakali 5

મંદિરના પુજારી કોઈ પણ જાતની ફી લીધા વગર નિ:સ્વાર્થ ભાવે વિધિ કરી આપે છે અને આ વિધિ કરાવ્યા બાદ ઘણા દંપતિને સંતાન પ્રાપ્ત થયા છે. જે દંપતિના જીવનબાગમાં ગુલાબનું ફુલ ખીલ્યું છે તે દંપતિ માતાજીના શ્રદ્ધાળું બની ગયા છે. મનુષ્યના જીવનમાં દરેકને કોઈને કોઈ ઉપાધી હોય છે. આવી વ્યક્તિઓ મહાકાળી માતાજીના મંદિરે આવી સાચી શ્રદ્ધા આસ્થાની માતાજીના દર્શન કરે છે તેમની મનોકામના માતાજી ચોક્કસ પુર્ણ કરે છે.

mahakali 8

ગામનું જીવન ખેતી આધારીત હોવાથી યજ્ઞ કરવાથી ખેતીમાં રોગ-જીવાત ન આવે ખેતી સારી પાકે પશુધનને રોગ ન આવે તેવી માન્યતા છે..યજ્ઞ બાદ ગામના લોકો મહાપ્રસાદી લે છે. શ્રી મહાકાળી માતાજીની ગામ પર અસીમ કૃપા છે. ગામ સુખી છે. માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટેનો ફાળો ગામલોકોના સહકારથી થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ભગવાનને ભોગ લગાવતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો થઈ જશે અનર્થ, જાણો શું છે નિયમ

ભટગામના યુવકો આસો નવરાત્રિમાં માતાજીના મંદિરે સુંદર સજાવટ કરે છે ચૈત્ર માસની રામ નવમીને દિવસે મંદિરે મેળો ભરાય છે. ગામ તરફથી દર ચૈત્ર માસમાં નવચંડી યજ્ઞ કરી માતાજીનો રથ કાઢવામાં આવે છે. અને તે દિવસે ગામના પાદરમાં નવ ધાન્ય ભોંય ભંડાર કરી ગામને ફરતે સુતરનો દોરો બાંધવામાં આવે છે.

mahakali 9

માતાજી દરેક ભક્તજનની ઈચ્છા પૂરી કરે છે ઘણા ભાવિકો પોતાનુ અને પરિવારનુ સ્વાસ્થ્ય સારુ રહે તેવી મનોકામના સાથે માતાજીના શરણે આવે છે અને તેમની આસ્થા પણ એટલી અતૂટ છે કે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થવાનો વિશ્વાસ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ