બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 07:42 AM, 6 May 2024
સુરત જિલ્લાના ઓલપાડથી માત્ર 5 કિલો મીટરના અંતરે આવેલા ભટગામે ઐતિહાસિક મહાકાળી માતાજીનુ મંદિર આવેલુ છે.ગુજરાતમાં પહેલું સ્થાન પાવાગઢ ઉપર મહાકાળીનું ગણાય છે. અને બીજું સ્થાન ભટગામ સ્વયં પ્રગટ મહાકાળી ગણાય છે.ભટગામની આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીનાં મંદિરે દર્શન કરવા આવે છે.
ADVERTISEMENT
નવરાત્રીની આઠમે મંદિરમાં માતાજીની સમૂહ આરતીમાં ભક્તો હાથમાં દિવડા લઈ આરતી કરે છે. પહેલા ભટગામ સુધી દરિયાની ભરતીના પાણી આવતા પરંતુ સરકારે બંધ બાંધ્યા હોવાથી ભરતીના પાણી આવતા બંધ થયા છે. શ્રી મહાકાળી માતાજી કળયુગમાં પણ પરચા પુરે છે જે કોઈ દંપતિને સંતાન ન હોય તે વ્યક્તિ આજે પણ મંદિરે આવી ટેક રાખે છે. માતાજીના મંદિરે સોપારી ચોંટાડવાની વિધિ કરવામાં આવે છે. આ વિધિ રવિવારે, મંગળવારે તેમજ ગુરુવારે કરવામાં આવે છે.
ADVERTISEMENT
મંદિરના પુજારી કોઈ પણ જાતની ફી લીધા વગર નિ:સ્વાર્થ ભાવે વિધિ કરી આપે છે અને આ વિધિ કરાવ્યા બાદ ઘણા દંપતિને સંતાન પ્રાપ્ત થયા છે. જે દંપતિના જીવનબાગમાં ગુલાબનું ફુલ ખીલ્યું છે તે દંપતિ માતાજીના શ્રદ્ધાળું બની ગયા છે. મનુષ્યના જીવનમાં દરેકને કોઈને કોઈ ઉપાધી હોય છે. આવી વ્યક્તિઓ મહાકાળી માતાજીના મંદિરે આવી સાચી શ્રદ્ધા આસ્થાની માતાજીના દર્શન કરે છે તેમની મનોકામના માતાજી ચોક્કસ પુર્ણ કરે છે.
ગામનું જીવન ખેતી આધારીત હોવાથી યજ્ઞ કરવાથી ખેતીમાં રોગ-જીવાત ન આવે ખેતી સારી પાકે પશુધનને રોગ ન આવે તેવી માન્યતા છે..યજ્ઞ બાદ ગામના લોકો મહાપ્રસાદી લે છે. શ્રી મહાકાળી માતાજીની ગામ પર અસીમ કૃપા છે. ગામ સુખી છે. માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટેનો ફાળો ગામલોકોના સહકારથી થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ભગવાનને ભોગ લગાવતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો થઈ જશે અનર્થ, જાણો શું છે નિયમ
ભટગામના યુવકો આસો નવરાત્રિમાં માતાજીના મંદિરે સુંદર સજાવટ કરે છે ચૈત્ર માસની રામ નવમીને દિવસે મંદિરે મેળો ભરાય છે. ગામ તરફથી દર ચૈત્ર માસમાં નવચંડી યજ્ઞ કરી માતાજીનો રથ કાઢવામાં આવે છે. અને તે દિવસે ગામના પાદરમાં નવ ધાન્ય ભોંય ભંડાર કરી ગામને ફરતે સુતરનો દોરો બાંધવામાં આવે છે.
માતાજી દરેક ભક્તજનની ઈચ્છા પૂરી કરે છે ઘણા ભાવિકો પોતાનુ અને પરિવારનુ સ્વાસ્થ્ય સારુ રહે તેવી મનોકામના સાથે માતાજીના શરણે આવે છે અને તેમની આસ્થા પણ એટલી અતૂટ છે કે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થવાનો વિશ્વાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT