બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Ahmedabad architect designed the Ram temple
Last Updated: 09:44 PM, 9 November 2019
ADVERTISEMENT
અમદાવાદી આર્કિટેક્ટે મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે
સુપ્રીમ કોર્ટ દ્વારા આજે રામલલાની ભૂમિને લઈને ચૂકાદો આપ્યો છે. સાથે સાથે મંદિરનાં નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવવા માટે કોર્ટે સરકારને આદેશ આપ્યાં છે. જેને પગલે લોકોને આતુરતા છે કે મંદિર કેવું બનશે. ગુજરાતીઓ માટે ગોરવની વાત છે કે આ મંદિરની ડિઝાઈન અમદાવાદી આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ADVERTISEMENT
30 વર્ષ પહેલાં વીએચપી સાથે મળી ડિઝાઈન બનાવી
આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ વીએચપી સાથે મળીને 30 વર્ષ પહેલા રામ મંદિરની ડિઝાઈન બનાવી હતી. જો કે આ જમીન તે સમયે વિવાદમાં હતી. જેનાં કારણે તેઓ મેજરમેન્ટનાં સાધનો વડે માપણી કરી શક્યા નહોતા. આ વિશે વાત કરતા સોમપુરા જણાવે છે કે આ ડિઝાઈનનું માપ તે સમયે પગેથી પગલા ભરીને લીધું હતું.
ADVERTISEMENT
નાગર શૈલીમાં બનશે મંદિર
રામ મંદિર 67 એકરમાં શિલ્પશાસ્ત્રનાં નિયમો પ્રમાણે તૈયાર કરવામાં આવશે. આ મંદિર ભારતની પ્રખ્યાત નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવશે. મંદિરની 141 ફુટની ઊંચાઈ, 277 ફુટની લંબાઈ, 125 ફુટની પહોળાઈ ધરાવશે.
ADVERTISEMENT
મંદિરનું 40 ટકા કામ પુરુ
ADVERTISEMENT
ચંદ્રકાન્ત સોમપુરાએ જણાવ્યું હતું કે, મંદિરનું 40 ટકા કામ પુરુ થઈ ચુક્યું છે. 60 ટકા કામ બાકી છે. અંદાજીત 3 વર્ષમાં મંદિરનું નિર્માણ થઈ જશે. મંદિર નિર્માણ માટે રાજસ્થાનથી પથ્થરો મંગાવવામાં આવશે. મંદિર નિર્માણમાં સ્ટીલનો ઉપયોગ કરવામાં નહી આવે. તેમજ આ મંદિરનું આયુષ્ય હજારો વર્ષ સુધીનું રહેશે.
મંદિર અષ્ટકોણીય હશે
ADVERTISEMENT
શિલ્પશાસ્ત્રનાં નિયમો પ્રમાણે આ મંદિર અષ્ટકોણીય હશે. જેને ચારેય તરફ દરવાજા હશે. જેમાં ગર્ભગૃહ, ગુઢ મંડપ, નૃત્ય મંડપ, રામના જન્મની મુર્તિ, રામ દરબાર હશે. મંદિર અવું હશે તેની પ્રદક્ષિણા કરી શકાશે.
કેમ્પર્સમાં કોતરણીવાળા વિજય સ્તંભ હશે
આ જગ્યાએ કેમ્પર્સમાં મંદિર ઉપરાંત અન્ય ચાર મંદિરો બનાવવામાં આવશે. જેમાં ભરત, લક્ષ્મણ, સીતા અને હનુમાન મંદિરનો સમાવેશ થાય છે. મંદિરની ચારેય તરફ દરવાજા છે. આ ચારેય દરવાજા દરેક દિશાની સંસ્કૃતિને અનુરુપ હશે. કેમ્પર્સમાં 250 જેટલા કોતરણીવાળા રામના વિજય સ્તંભ બનશે.
મંદિરમાં આટલી સુવિધા હશે
આ ઉપરાંત અહીં લગભગ 6 ફુટની ઉંચી રામમુર્તિ હશે. તેમજ કેમ્પર્સમાં સંત નિવાસ, ભક્તોને રહેવા માટેની ધર્મશાળા, ભોજનની વ્યવસ્થા તથા મંદિરનું ખાસ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં રામાયણ તથા મહાભારત જેવા મહાકાવ્યો પર રિસર્ચ કરનારને સરળતા રહેશે. અહીંની લાઈબ્રેરીમાં ભગવાનને લગતા સંખ્યાબંધ પુસ્તકો મળી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.