બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / After Raksha Bandhan, do you throw away Rakhi from your wrist? Do not do this mistake otherwise
Megha
Last Updated: 12:31 PM, 24 August 2023
Raksha Bandhan 2023 Rules for taking off Rakhi: આ વર્ષે 30 અને 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન (Raksha Bandhan 2023) ઊજવવામાં આવશે. દર વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને રક્ષાનું વચન આપે છે. આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે.
રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટે છે. રક્ષાબંધનનું શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ, બુધવારે રાત્રે 8.57થી લઈને 31 ઓગસ્ટ ગુરૂવારે ઉદયાતિથિમાં સવારે 7.46 વાગ્યા સુધી રહેશે. પુનમ 30 ઓગસ્ટ સવારે 10.13થી શરૂ થઈ જશે. ભદ્રાકાળ સવારે 10.23 વાગ્યાથી લઈને રાત્રે 8.57 વાગ્યા સુધી રહેશે.
રાખડી ઉતારવાના અલગ-અલગ નિયમો છે
ભાઈઓને રાખડી બાંધવાના ઘણા નિયમો છે. એ જ રીતે રાખડી બાંધ્યા પછી તેને ઉતારવા માટે અલગ-અલગ નિયમો આપવામાં આવ્યા છે. લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે રક્ષાબંધન પૂર્ણ થયા પછી કાંડા પર શોભતી રાખડીનું શું કરવું. ઘણા લોકો રાખડી ઉતારીને અહીં-ત્યાં રાખે છે. પરંતુ આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કાંડા પર બાંધેલ રાખડીઓનું શું કરવું જોઈએ.
રક્ષાબંધન પછી રાખડીનું શું કરવું?
રક્ષાબંધન પછી રાખડી ઉતારીને અહીં-ત્યાં ફેંકવી જોઈએ નહીં. તેનાથી ભાઈ-બહેનના સંબંધો પર વિપરીત અસર પડી શકે છે. રક્ષાબંધન સમાપ્ત થયા પછી બીજા દિવસે રાખડી ઉતારીને કાળજીપૂર્વક લાલ રંગના કપડામાં રાખવી જોઈએ. એ બાદ તેને એવી જગ્યાએ રાખો જ્યાં તમારા અને તમારી બહેન સાથે સંબંધિત અન્ય વસ્તુઓ રાખવામાં આવે. જેમ કે તમારા બંનેના એક સાથેના ફોટા, તમારા રમકડાં પાસે રાખો. જે બાદ આવતા વર્ષના રક્ષાબંધન સુધી આ રાખડી સાચવીને સુરક્ષિત રાખો પછી આવતા વર્ષે રક્ષાબંધનનો તહેવાર આવે ત્યારે આ રાખડીને પાણીમાં વહાવી દો. આમ કરવાથી ભાઈ-બહેનનો સંબંધ વધુ મજબૂત બને છે.
તૂટેલી રાખડીઓનું શું કરવું?
જો રાખડીને કાંડા પરથી ઉતારતી વખતે તૂટી જાય તો તેને સાચવીને રાખવી જોઈએ નહીં સાથે જ તેને અહીં-ત્યાં ફેંકવી પણ જોઈએ નહીં. એ તૂટેલ રાખડીને એક રૂપિયાના સિક્કા સાથે ઝાડની નીચે રાખવી જોઈએ અથવા પાણીમાં વહાવી દેવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime