બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / adani group plans to invest rs 1 lakh cr in karnataka over 7 years for expansion of business
ADVERTISEMENT
ગૌતમ અદાણી ગ્રુપ આગામી 7 વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગ્રુપનું આ રોકાણ ચોક્કસ રાજ્ય માટે છે. આ રોકાણ કર્ણાટકમાં કરવામાં આવશે. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કરણ ગૌતમ અદાણીએ આ માહિતી આપી હતી. દિગ્ગજ બિઝનેસમેનના આ પગલા બાદ કર્ણાટકની જનતાને ઘણો ફાયદો થશે. સૌથી મોટી વાત એ છે કે લોકો માટે રોજગારની શક્યતાઓ પણ વધશે.
કરણ ગૌતમ અદાણીએ માહિતી આપી હતી
કરણ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 'કર્ણાટકમાં અમે જે વિસ્તારોમાં રોકાણ કરીશું અને જે ક્ષેત્રોમાં અમે વિસ્તરણ કરીશું, તેમાં આગામી સાત વર્ષ દરમિયાન લગભગ એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી સોલાર પાવર કંપની હોવાના કારણે અદાણી ગ્રુપ રાજ્યમાં રિન્યુએબલ એનર્જીમાં વધુ રોકાણ કરશે.
ADVERTISEMENT
ધારાવીની કરશે કાયાપલટ
કરણ અદાણીએ માહિતી આપી છે કે જૂથ કર્ણાટકમાં સિમેન્ટ, ઉર્જા, પાઇપ્ડ ગેસ, ખાદ્ય તેલ, પરિવહન, લોજિસ્ટિક્સ અને ડિજિટલ જેવા અનેક ક્ષેત્રોમાં સક્રિય છે અને તેણે અત્યાર સુધીમાં રૂ. 20,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોમાં ગૌતમ અદાણીએ પોતાનું કામ રોકેટની ઝડપે ચલાવ્યું છે. એટલું જ નહીં, મુંબઈની 'ધારાવી' પણ હવે ગૌતમ અદાણી પાસે છે, એટલે કે ટૂંક સમયમાં જ આ સૌથી મોટી સ્લમ વિસ્તાર નવા રૂપમાં જોવા મળશે.
અદાણીનું ફોકસ સિમેન્ટ બિઝનેસ પર
નોંધપાત્ર બાબત એ છે કે, છેલ્લા કેટલાક સમયમાં, ગૌતમ અદાણી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સુપ્રસિદ્ધ બિઝનેસ મેન તરીકે ઉભરી આવ્યા છે. હાલમાં, અદાણી જૂથ કર્ણાટકમાં 7 મિલિયન ટનથી વધુની કુલ ક્ષમતા સાથે ચાર સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે જૂથ આ ક્ષેત્રમાં પણ તેની હાજરીનો વિસ્તાર કરશે. આ ઉપરાંત મેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ વિસ્તરણ કરવામાં આવશે. આ સિવાય અદાણી વિલ્મર મેંગલુરુમાં તેની હાજરી વધારી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.