ગુજરાતમાં આગામી દિવોસમાં નવા મંત્રીમંડળની રચના થશે જેમા 8 નવા મંત્રીઓને ઉમેરવામાં આવશે, સાથેજ જે મંત્રીઓ વિવાદમાં સપડાયેલા છે અને નબળી કામગીરી છે તે લોકોને બહાર કાઢવામાં આવશે.
આગામી દિવસોમાં થશે નવા મંત્રીમંડળની રચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીમંડળની કરશે રચના
નબળી કામગીરી અને વિવાદ સાથે જોડાયેલા મંત્રીઓ હટશે
આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. જોકે શપથ બાદ મંત્રીમંડળને લઈને મંથન થવાનું છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે. જેને લઈને મોટા ભાગના લોકો આથુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવા મંત્રીમંડળને કોને કોને સ્થાન આપવામાં આવશે તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.
અમુક મંત્રીઓનું પત્તુ કટ થશે
એવી માહિતી સામે આવી છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. સાથેજ યુવાઓને પહેલા તક મળશે તેવી માહિતી પણ સામે આવી છે. જોકે ચાલું મંત્રીમંડળમાંથી અમુક મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે. જેમા ખાસ કરીને જે મંત્રીઓ વિવાદમાં રહેલા છે તે મંત્રીઓને પહેલા પડતા મૂકાશે.
8 નેતાઓને હટાવામાં આવશે
હાલ જે મંત્રીમંડળ છે તેમાથી 8 જેટલા નેતાઓને હટાવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. જેમા કેટલાક સિનિયર નેતાઓની પણ બાદબાકી થશે. તે સિવાય જે લોકોની નબળી કામગીરી નબળી છે તે લોકોને પણ રજા આપી દેવામાં આવશે.
2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગઠન થશે
મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં ઝોન વાઈસ જ્ઞાતિના સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવશે અને 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું ગઠન કરવામાં આવશે. ત્યારે કયા નવા મંત્રીઓને લેવાની શક્યતા છે. સાથેજ કયા મંત્રીઓને યથાવત રાખવામાં આવશે તેની યાદી કઈક આવી છે.