બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો, નિવૃત PSI સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
Last Updated: 10:51 PM, 8 March 2026
ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરી અને દમનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટર શૈલેષ બચુ નાયક સામે વ્યાજખોરી, દુષ્પ્રેરણ અને ધમકીના આરોપો સાથે સાંતેજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ સમગ્ર ઘટના ગૃહવિભાગના નિવૃત સેક્શન અધિકારી પ્રકાશ નાયકના આપઘાત બાદ પ્રકાશમાં આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ પ્રકાશ નાયકે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં તેમણે નિવૃત PSI શૈલેષ બચુ નાયક દ્વારા લાંબા સમયથી અપાતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

ADVERTISEMENT
પરિવારજનોએ પોલીસને આપેલી માહિતી અનુસાર, પ્રકાશ નાયકે લગભગ 10 લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું. જોકે, આરોપી વ્યાજખોરે અત્યાર સુધીમાં લગભગ 90 લાખ રૂપિયાની ઉઘરાણી કરી લીધી હોવા છતાં વધુમાં વધુ દોઢ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આરોપ છે કે વ્યાજની રકમ વસૂલવા માટે આરોપીએ સતત દબાણ બનાવ્યું હતું.

ADVERTISEMENT
પરિવારના આરોપ મુજબ, માત્ર આર્થિક દબાણ જ નહીં પરંતુ શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, દબાણ વધારવા માટે પ્રકાશ નાયકના પુત્રનું અપહરણ કરી અને મિલકત લખાવી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ તમામ ત્રાસ અને દબાણને કારણે પ્રકાશ નાયક ભારે માનસિક તણાવમાં રહેતા હતા. અંતે તેઓએ અડાલજ કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન સમાપ્ત કરી દીધું.
આ પણ વાંચોઃ સુરત ખાતે પાટીદાર સમાજની બેઠક મળી, અનેક મુદ્દાને લઈ અગ્રણીઓએ કરી ચર્ચા
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સાંતેજ પોલીસ મથકે નિવૃત PSI શૈલેષ બચુ નાયક સામે આત્મહત્યાને દુષ્પ્રેરિત કરવાનો તેમજ વ્યાજખોરી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને સંબંધિત પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.