ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત ખાતે પાટીદાર સમાજની બેઠક મળી, અનેક મુદ્દાને લઈ અગ્રણીઓએ કરી ચર્ચા
Last Updated: 09:35 PM, 8 March 2026
ADVERTISEMENT
સુરત જિલ્લાના કામરેજ ખાતે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણ અને આરોગ્ય જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગોંડલના પાટીદાર અગ્રણી નિખિલ દોંગા સહિત અનેક પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
બેઠક દરમિયાન સમાજના નામે સ્વાર્થ સાધતા કેટલાક પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. આગેવાનોએ આરોપ લગાવ્યો કે કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી તેનો દુરુપયોગ કરી રહી છે, જ્યારે પાટીદાર સમાજના સામાન્ય લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પૂરતો લાભ મળતો નથી.

ADVERTISEMENT
વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દિવસેને દિવસે મોંઘી બની રહી છે, જેના કારણે સામાન્ય પરિવારોની આર્થિક પરિસ્થિતિ પર ભારે અસર પડી રહી છે. આવા સંજોગોમાં સમાજના લોકો સુધી યોગ્ય લાભ પહોંચે તે જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું.

ADVERTISEMENT
બેઠકમાં હાજર આગેવાનોનો મત હતો કે સરકારની સહાય લેતી સંસ્થાઓએ પારદર્શક રીતે કામ કરવું જોઈએ અને સમાજના હિતમાં કામગીરી કરવી જોઈએ. સરકારના પૈસાથી માલિકીપણું ચલાવતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઈકોનોમિક રિજિયન અંગે મહત્વપૂર્ણ નિર્ણય, 1185 કરોડના કામને મંજૂરી
ADVERTISEMENT
પાટીદાર અગ્રણી કે.કે. પટેલની આગેવાનીમાં વિવિધ પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો