બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 70 percent land of Thakor society has been destroyed by land grabbers: Navghan Thakor

VIDEO / ઠાકોર સમાજની 70 ટકા જમીન ભૂમાફિયાઓએ પચાવી છે, એક મહિનામાં પરત કરો નહીંતર...: નવઘણ ઠાકોરની ચીમકી

Malay

Last Updated: 03:54 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: ઠાકોર સમાજની જમીન પચાવી પાડવાના મુદ્દે નવઘણ ઠાકોરનું નિવેદન, કહ્યું જમીન ખાલી નહીં કરવામાં આવે તો મહાપંચાયત બોલાવવામાં આવશે.

  • ઠાકોર સમાજના આગેવાન નવઘણ ઠાકોરનું નિવેદન 
  • જમીન પચાવી પાડવાના મુદ્દે આપ્યું નિવેદન
  • કબજો કરેલી જમીન પાછી આપી દેવા માંગ 
  • નવઘણ ઠાકોર છે ઠાકોર સમાજના અગ્રણી 

બનાસકાંઠા ન્યૂઝ: ઠાકોર સમાજના આગેવાન અને અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણ ઠાકોરે ભૂમાફિયાઓને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, ઠાકોર સમાજની 70 ટકા જમીન ભૂમાફિયાઓએ પચાવી લીધી છે. જો એક માસમાં કબજે કરેલી જમીન પાછી આપવામાં નહીં આવે તો મહાપંચાયત બોલાવવામાં આવશે. નવઘણ ઠાકોરનો નિવેદનવાળો વીડિયો વાયરલ થયો છે. 

અસામાજિક તત્વોને આપું છું ખુલ્લી ચેતવણીઃ નવઘણ ઠાકોર
નવઘણજી ઠાકોરે કહ્યું કે, હું છેલ્લા 2 મહિનાથી સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરું છું અને આ પ્રવાસમાં મને જાણવા મળ્યું છે કે ઠાકોર સમાજની કરોડોના કિંમતની જમીનો અસામાજિક તત્વોએ ખોટા ચીઠ્ઠા, ખોટા બાનાખત, ખોટી નોટરીઓ, ખોટા કાગળો બનાવીને અને ધાકધમકી આપીને પચાવી લીધી છે. આવા અસામાજિક તત્વોને હું ખુલ્લી ચેતવણી આપું છું કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ વ્યક્તિએ ઠાકોર સમાજના કોઈપણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોય, ખોટા દસ્તાવેજ કર્યા હોય, ખોટી નોટરી કરી હોય, ખોટા બાનાખત કર્યા હોય તો એક માસની અંદર જે તે પ્રશ્નો હોય તે ઉકેલી નાખજો. 

'ટૂંક સમયમાં બોલાવાશે મહાપંચાયત'
તેમણે કહ્યું છે કે, એક માસમાં કબજે કરેલી જમીનો પાછી આપી દેજો. જો જમીનો ખાલી નહીં કરવામાં આવે તો મહાપંચાયત બોલાવવામાં આવશે. ટૂંક સમયની અંદર આવી ડખ્ખાવાળી ફાઈલો હાથ ઉપર લઈ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોને સાથે રાખીને મહાપંચાયત બોલાવવામાં આવશે. આ સમાજ પર કોઈ અન્યાય કે અત્યાચાર ચલાવી લેવામાં આવશે નહીં. જે કોઈએ ખોટું કર્યું હશે, તેને છોડવામાં નહીં આવે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ