બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 7 habits can increase the risk of kidney stones
કિડની આપણા શરીરના સૌથી જરૂરી અંગોમાંથી એક છે. આ લોહીને સ્વચ્છ કરીને શરીરમાંથી વેસ્ટ પદાર્થ બહાર કરી નાખે છે. પરંતુ ક્યારેક ક્યારેક અમુક આદતોના કારણે કિડનીમાં આ વેસ્ટ પદાર્થ જામવા લાગે છે જે ધીરે ધીરે કડક થવા લાગે છે અને પથરીનું રૂપ લઈ લે છે. કિડનીની પથરી ખૂબ જ દર્દનાક હોય છે. એવામાં આવો અમે તમને જણાવીએ કે તેનાથી બચવા માટે કઈ આદતોમાં સુધાર કરવો જોઈએ.
ADVERTISEMENT

પાણી ઓછુ પીવું
શરીરમાં પાણીની કમી થવાના કારણે પેશાબ જાડો થઈ જાય છે. જેનાથી પથરી બનવાનો ખતરો રહે છે. માટે એ કહેવું ખોટુ નથી કે ઓછુ પાણી પીવાથી કિડનીમાં પથરી થવાનું રિસ્ક વધી જાય છે. તેના માટે રોજ પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પાણી પીવાની સૌથી સારી રીત છે કે તમે આખો દિવસ થોડા થોડા પ્રમાણમાં વારંવાર પાણી પીતા રહો.
ADVERTISEMENT
કેલ્શિયમનું ઓછુ સેવન
કેલ્શિયમની કમી કિડનીમાં પથરીનો ખતરો વધારી શકે છે. શરીરમાં કેલ્શિયમની કમીના કારણે કિડનીમાં પથરી બનવા લાગે છે. માટે એક્સપર્ટ્સથી લઈને બધા ડાઈટિશિયન સલાહ આપે છે કે બેલેન્સ ડાયેટ લો. તેનાથી શરીરને બધા પૌષ્ટિક તત્વ સરળતાથી મળી જાય છે.
.jpg)
ADVERTISEMENT
સોડિયમનું વધારે સેવન
વધારે પ્રમાણમાં સોડિયમ એટલે કે મીઠાનું સેવન કિડનીને પેશાબ દ્વારા વધારે કેલ્શિયમ બહાર કાઢવા માટે મજબૂર કરે છે. આ વધારે કેલ્શિયમ પથરીનું રૂપ લઈ શકે છે. માટે ભોજનમાં મીઠાનું પ્રમાણ થોડુ ઓછુ રાખો.
વધારે પ્રમાણાં માંસાહાર
માંસ, ઈંડા, માછલી વગેરે પ્રોટીનના સારા સ્ત્રોત હોય છે. પરંતુ તેનું વધારે સેવન પણ કિડનીમાં પથરીના ખતરાને વધારી શકે છે. હકીકતે વધારે પ્રોટીનથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. જે પથરીનું એક મુખ્ય કારણ છે.
ADVERTISEMENT
વધારે પ્રમાણમાં ઓક્સલેટ યુક્ત ફૂડ પ્રોડક્ટ ખાવી
પાલક, બિટ, ચોકલેટ અને કાજુ વગેરેમાં ઓક્સાલેટ નામનું તત્વ મળી આવે છે. જે વધારે પ્રમાણમાં ઓક્સાલેટનું સેવન યુરિનમાં કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલ બનાવી શકે છે. જે આગળ જઈને પથરીનું રૂપ લઈ શકે છે. તેના માટે શાકભાજીને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ.

ADVERTISEMENT
સ્થૂળતા
વધારે સ્થૂળતા પણ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે. સ્થૂળતાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે. સાથે જ બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે. જે કિડનીના સ્વાસ્થ્ય માટે ઠીક નથી.
વધુ વાંચો: ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં વધતાં જ સ્કીન પર જોવા મળશે 5 લક્ષણ, જાણી લેજો નહીંતર જીવ પર આવશે
ADVERTISEMENT
બીજ વાળા ફ્રૂટ પ્રોડક્ટ્સ
એક્સપર્ટ્સ અનુસાર બીજ વાળા ફૂડ પ્રોડક્ટ્સ વધારે ખાવાથી કિડનીના સ્વાસ્થ્ય પર અસર પડે છે. રિંગળ, ટામેટા જેવા બીજ વાળા શાકભાજીમાં ઓક્સાલેટ વધારે હોય છે. એવામાં જો કોઈ સમસ્યા નથી છતાં આ શાકભાજીને મર્યાદીત પ્રમાણમાં ખાવા જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.