બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 5, નાલંદામાં 9 તો મહેસાણામાં 2નાં મોત, જ્યારે મંગળ બન્યો 'અમંગળ'!
Last Updated: 06:06 PM, 31 March 2026
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મકાનમાં આગ લાગતા 5 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં 4 મહિલાઓ અને એક બાળકનું મોત નીપજ્યું છે. મીઠી ખાડી વિસ્તારના બેઠી કોલોનીમાં આવેલા મકાનમાં અચાનક આગ લાગી હતી. મકાનમાં સાડીના પેકેજિંગનું કામ ચાલતું હતું. અહીં પેકેજિંગ માટે વપરાતા ફોર્મને કારણે આ આગ વધુ વિકરાળ બની હતી.
ADVERTISEMENT

મંદિરમાં ભાગદોડ થતાં 9 લોકોના મૃત્યુ નીપજ્યા
ADVERTISEMENT
આ ઉપરાંત બિહારના નાલંદામાં પણ મંદિરમાં ભાગદોડ થતાં 9 લોકોના મૃત્યુ નીપજ્યા.અહીં મઘડામાં શીતળાષ્ટમીના પર્વને લઇને મંદિરમાં લોકો ઉમટ્યા હતા, આ દરમિયાન અચાનક ભાગદોડ મચી ગઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. જે બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ 8 મહિના બાદ ફરીથી ખુલ્લો મુકાશે વડોદરાનો ગંભીરા બ્રિજ
ADVERTISEMENT
પદયાત્રીઓને બેફામ ટ્રક ચાલકે અડફેટે લીધા
તેમજ મહેસાણામાં પગપાળા સંઘના 8 પદયાત્રીઓને બેફામ ટ્રક ચાલકે અડફેટે લેતા 8માંથી 2 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT